સુરતના હીરાઉદ્યોગમાં મંદીના ભણકારા, વેકેશન લંબાયુ, 5 જૂન પછી કારખાના ખુલશે

સુરતના હીરાઉદ્યોગની ચમક ઝાંખી પડે તેવા સમાચાર સામે આવ્યા છે.દુનિયાભરના અર્થંતંત્ર ડામાડોળ થઇ ગયા છે અને દુનિયામાં મંદીનો અજગરભરડો આવી શકે એવી આશંકાએ સુરતની હીરાઉદ્યોગ પર માઠી અસર પડી શકે છે. ડાયમંડ ઉદ્યોગનો મોટોભાગનો બિઝનેસ અમેરિકા સાથે છે અને અમેરિકાની આર્થિક સ્થિતિ અત્યારે એકદમ નાજૂક છે. અમેરિકા પર 31.5 ટ્રિલિયન ડોલરના જંગી દેવાને કારણે આ દેશમાં મંદીના વમળમાં ફસાઇ શકે છે એવા ગંભીર અહેવાલો સામે આવી રહ્યા છે. સુરતમાં સામાન્ય રીતે દર મે મહિનામાં દશેક દિવસનું ઉનાળું વેકેશન રાખવામાં આવે છે, પરંતુ આ વખતે વેકેશન ઘણું લાંબુ ચાલ્યું છે અને નાના કારખાનાઓમાં કામ કરતા કેટલાંક રત્નકલાકારોને તો રજા આપી દેવામાં આવી છે. હીરાઉદ્યોગ સાથે સંકળાયેલો સૂત્રોનું કહેવું છે કે 5 જૂન પછી કારખાનાઓ ખુલવાની સંભાવના છે, પરંતુ બધા ખુલશે કે કેમ તે એક મોટો સવાલ છે. આ સ્થિતમાં સૌથી વધારે કફોડી હાલત રત્નકલાકારોની થઇ રહી છે.

જાણવા મળેલી વિગત મુજબ અમેરિકા અને યુરોપની મંદીની અસર તો આમ હીરાઉદ્યોગ પર છેલ્લાં કેટલાંક સમયથી ચાલી જ રહી છે, પરંતુ હવે દુબઇ જેવા દેશો પણ રશિયાની માઇન્સના રફ હીરામાંથી જો ડાયમંડ પોલીશ્ડ કર્યા હોય તો સ્વીકારતા નથી. રશિયા-યુક્રેન યુદ્ધ પછી અમેરિકાએ રશિયાના ડાયમંડ ખરીદવા પર પ્રતિબંધ મુક્યો હતો.

વર્લ્ડ ઓફ સ્ટેટેસ્ટીક્સ સંસ્થાનો તાજેતરનો એક રિપોર્ટ ચોંકાવનારો છે. આ રિપોર્ટમાં એક યાદી જાહેર કરવામાં આવી છે અને એવું કહેવામાં આવ્યું છે કે આટલા દેશોમાં મંદી આવવાની શક્યતા છે. આ યાદીમાં ભારતની સ્થિતિ સારી હોવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ ડાયમંડ ઉદ્યોગનો બધો દારોમદાર દુનિયા સાથે સંકળાયેલો છે. સુરતની વાત કરીએ તો ડાયમંડ કટીંગ પોલીશીંગમાં સુરત દુનિયામાં નંબર વન પર છે, પરંતુ પોલીશ્ડ કરાયેલા હીરા અમેરિકા,ચીન, જાપાન સહિતના અનેક દેશોમાં નિકાસ કરવામાં આવે છે. તેમાં પણ અમેરિકાનો હિસ્સો સૌથી મોટો છે.

આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે અમેરિકાએ પોતાના GDP કરતા પણ વધારે દેવું કરી નાંખ્યું છે અને 31 મે સુધીમાં જો કોઇ સુધારો ન આવે તો 1જૂને અમેરિકા નાદાર દેશ જાહેર થઇ શકે છે. યુરોપ તો ઘણા સમયથી મંદીમાં ફસાયેલું જ છે. યુકેમાં મંદી આવવાની શક્યતા 75 ટકા, બીજા નંબર ન્યુઝીલેન્ડ છે જ્યાં મંદી આવવાની શક્યતા 70 ટકા અને અમેરિકામાં 65 ટકા શક્યતા બતાવવામાં આવી છે. તેની સામે ભારતમાં મંદી આવવાની શક્યતા ઝીરો ટકા હોવાનું કહેવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.