ગુજરાત HCમાં આરોપીઓને જામીન અપાતા ફરિયાદી દંપતીએ જજ સામે ફિનાઈલ પીધી

ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશ નિર્ઝર દેસાઈની કોર્ટમાં એક વાગ્યાની આસપાસ એક દંપતીએ ચાલુ હિયરિંગ દરમિયાન આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ભરી કોર્ટમાં દંપતી સહિત 4 લોકોએ ફિનાઇલ ગટગટાવી લેતા વકીલો દૂર હટી ગયા હતા. જ્યારે પોલીસે આવીને ચારેયને અટકાવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેઓ ફિનાઇલ પી ચૂક્યા હતા. હાલમાં ચારેય લોકોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

હાઇકોર્ટમાં ફિનાઈલ પીનાર ચારેય લોકોની ઓળખ શૈલેષભાઈ ઈશ્વરભાઈ પંચાલ (ઉમર 52 વર્ષ), જયશ્રીબેન શૈલેષભાઈ પંચાલ (ઉંમર 50 વર્ષ, રહે. C/504, કેશવ પ્રીય હોમ્સ નિકોલ, અમદાવાદ), હાર્દિકભાઈ અમ્રતભાઈ પટેલ (ઉંમર 24 વર્ષ, રહે. 1, ઉમિયાનગર ઘાટલોડિયા, અમદાવાદ), મનોજભાઈ નાથુભાઈ વૈષ્ણવ (ઉંમર 41 વર્ષ, રહે. 443/2634, શુભલક્ષ્મીનગર સોસાયટી, જનતાનગર ચાંદખેડા, અમદાવાદ)ના રૂપમાં થઇ છે.

 

ફિનાઇલ પીતા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને ચારેયને હૉસ્પિટલ લઇ જવાયા હતા, જ્યારે જજ નિર્ઝર દેસાઈ કોર્ટ છોડીને જતા રહેતા સુનાવણી અટકી હતી. પોલીસ દ્વારા ત્યારબાદ પંચનામા સહિતની કામગીરી કરવામાં આવી હતી. પોલીસે ફિનાઈલની બોટલ, ઢાંકણું, ચપ્પલ સહિતની વસ્તુઓ કબજે કરી છે. ત્યારે દંપતી સહિત ચારેય લોકો ફિનાઇલ લઈને કોર્ટ રૂમમાં કેવી રીતે પહોંચ્યા એ મોટો પ્રશ્ન છે ઊભો થયો છે. આત્મહત્યાનો પ્રયાસ કરનારાઓએ કલર મર્ચન્ટ કો-ઓપરેટિવ બેંકે લોનના નામે ફ્રોડ કરતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસ ફરિયાદ બાદ બેંકના જનરલ મેનેજર અને મેનેજર સહિત કર્મચારીઓએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.

ધંધા માટે લીધેલી મોર્ગેજ લોન પાસ થયા બાદ પણ લોનની રકમ ન મળતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. લોનની રકમ બેંકના જનરલ મેનેજર અને મેનેજર ઓળવી ગયાનો ફરિયાદમાં નોંધાવ્યું હતું. શૈલેષભાઈ અને તેની પત્ની જયશ્રીબેને ખાડિયામાં આનંદનગર આસ્ટોડિયામાં આવેલી કલર મર્ચંન્ટ્સ બેંકમાંથી લોન મેળવવા માટે કાર્યવાહી કરી હતી. તેમની લોન મંજૂર થઈ ગઈ હતી, પરંતુ બેંક મેનેજર અને લોન કન્સલ્ટન્ટે સાથે મળી આ લોનનાં નાણાં બારોબાર ઉપાડી લીધા હતા, આથી દંપતીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં IPC કલમ 406, 420, 465, 467 હેઠળ લોન કન્સલ્ટન્ટ ચિંતન શાહ, જનરલ મેનેજર કિન્નરભાઈ અને મેનેજર અતુલ શાહ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

આથી આરોપીઓએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં CR.M.A. નંબર 3140/2023/2346/2023, 6137/2023થી આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જેમાં આરોપીઓના જામીન ગુજરાત હાઇકોર્ટે મંજૂર કરતા ચારેય લોકોએ કોર્ટરૂમમાં ફિનાઈલ પી લીધું હતું. હાલમાં બધાની સોલા સિવિલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ચારેયની તબિયત હાલમાં સારી છે અને સંપૂર્ણ ભાનમાં છે.

આ મામલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના PI જિજ્ઞેશ અગ્રાવતે જણાવ્યું હતું કે, જે વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે તે લોકોએ અગાઉ બેંકમાંથી લોન લીધી હતી, પરંતુ લોનની રકમ વચેટિયા ખાઈ જતા તેમણે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ અંગે આગોતરા જામીન અરજી હાઇકોર્ટમાં આજે ચાલી રહી હતી. એમાં આરોપીઓના જામીન મંજૂર થઈ જતા દંપતીને દુઃખ થયું હતું અને ત્યાં જ દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. હાલમાં બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

About The Author

Top News

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.