સુરતના નકલી શાહરૂખને સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં 20 વર્ષની જેલ

સુરત કોર્ટે બળાત્કારના કેસમાં વધુ એક સજા સંભળાવી છે. એક વર્ષ અગાઉ સચિનમાં રહેતી 17 વર્ષની સગીરાનું 50 વર્ષના આધેડે અપહરણ કરીને ભગાવી જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જેમાં દોષીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. દોષી શાહરુખ ખાનનો મોટો ફેન છે. તેણે સુરતમાં ડુપ્લિકેટ શાહરુખ બની સોશિયલ મીડિયામાં રીલ્સ અને ફોટા મૂક્યા છે. ત્યારે સગીરાને આવી જ બધી સ્ટાઈલથી પોતાની સાથે લઇ જઈ દુષ્કર્મ આચરનાર નકલી શાહરુખને કોર્ટે સજા ફટકારી છે.

ગયા વર્ષે સુરતના સચિન વિસ્તારમાંથી 17 વર્ષીય સગીર વયની છોકરીને 50 વર્ષીય આધેડ અબ્દુલ હાસીમ માધી અપહરણ કરીને ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. લાજપોર નજીકના ગામમાં રહેતી 17 વર્ષીય સગીરા હોજીવાલા એસ્ટેટમાં જરીના કારખાનામાં કામ કરતી હતી. આ જ એસ્ટેટમાં 50 વર્ષીય દોષી અબ્દુલ પીડિતાને કંપનીની ગાડીમાં કંપનીએ લઈ જવાનું અને મૂકી આવવાનું કામ કરતો હતો. દોષી અબ્દુલ 8 ઑક્ટોબર 2022ના રોજ પીડિતાના ઘરે રિક્ષા લઈને લેવા ગયો હતો. જો કે, સાંજે 07:00 વાગ્યામાં સુધી પીડિતા ઘરે ન પહોંચતા પરિવાજનોએ તેની તપાસ હાથ ધરી હતી.

પીડિતા ન મળતા પોલીસનો સંપર્ક કર્યો હતો અને તપાસમાં જાણવા મળ્યું હતું કે, દોષી પલસાણાના ફ્લાય ઓવરની નીચે રિક્ષા મૂકીને પીડિતાનું અપહરણ કરી ગયો છે. મોટી ઉંમરનો દોષી સગીરાને ભગાડી ગયો હોવાની ઘટનાને પોલીસે ગંભીરતાથી લીધી હતી. જેથી અબ્દુલને પકડવા પોલીસે અગલ-અલગ ટીમો કામે લગાવી હતી. 3 દિવસમાં દોષી અબ્દુલને મહારાષ્ટ્રથી પકડી પાડ્યો હતો. તેની સામે દુષ્કર્મ અને અપહરણનો ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અબ્દુલને સખતમાં સખત  સજા થાય તે પ્રમાણે ઊંડાણપૂર્વકની તપાસ કરી પુરાવાઓ ભેગા કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે દોષી સામેના બધા પુરાવાઓ ભેગા કરીને 42 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. અબ્દુલની પોલીસે ધરપકડ કરી તેનો કેસ કોર્ટમાં ઝડપથી ચાલ્યો હતો. કોર્ટમાં આ કેસનો એક વર્ષમાં નિર્ણય આવી ગયો છે. દોષીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સરકાર તરફથી દીપેશ દવેએ દોષીને કડક સજા થાય તેવી દલીલો કરી હતી.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.