ધોરણ 1થી 8નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવા બાબતે ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે તમામ શાળા અને કોલેજો બંધ કરવામાં આવ્યા હતા. કોરોનાનું સંક્રમણ વિદ્યાર્થીઓમાં ફેલાય નહીં, તે માટે તેમને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવતો હતો. પણ હાલ બીજી લહેર બાદ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર શાળા અને કોલેજો ખોલવાની શરૂઆત કરી છે. 15 જુલાઈથી રાજ્યમાં ધોરણ 12 અને કોલેજના વિદ્યાર્થીઓને ઓફલાઈન ભણાવવા માટે રાજ્ય સરકારે છૂટ આપી હતી. ત્યારબાદ હવે આજથી રાજ્યમાં ધોરણ 9, 10 અને 11નું ઓફલાઈન શિક્ષણ શરૂ થઇ રહ્યું છે. ઓફલાઈન શિક્ષણની શરૂઆત થતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં પણ ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આગામી દિવસોમાં અન્ય ધોરણો પણ તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવશે તેવું નિવેદન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું હતું. ઓફલાઈન શિક્ષણ શરૂ થતા જ વિદ્યાર્થીઓ પણ ખૂશીથી શાળાએ પહોંચી રહ્યા છે. સરકારના નિયમ અનુસાર 50% ક્ષમતા સાથે શાળાઓમાં ધોરણ 9, 10 અને 11નું ઓફલાઈન શિક્ષણ શરૂ થયું હતું.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, અમે ગઈ વખતે પહેલા અને બીજા વેવની વચ્ચે તબક્કાવાર અભ્યાસ કરીને, આરોગ્ય વિભાગની સલાહ લઇને, કોર કમિટીમાં ચર્ચા કર્યા પછી અમે નિર્ણય કરીએ છીએ તેના ભાગ રૂપે 15મી જુલાઈથી કોલેજ અને ધોરણ 12નું શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું. આજથી 9, 10 અને 11નું શિક્ષણકાર્ય શરૂ થઇ રહ્યું છે. હું શિક્ષણકાર્યમાં જોડાયેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું. ઈશ્વરને પ્રાર્થના કરું છું કે, આ શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરૂ રહે. હવે પછી આજ પ્રકારે કોર કમિટીમાં ચર્ચા કરીને તબક્કાવાર બાકીના વર્ગોનું શિક્ષણ કાર્ય પણ અને શરૂ કરવાના છીએ.

અમદાવાદના એક શિક્ષિકાએ જણાવ્યું હતું કે, આજથી ધોરણ 9, 10 અને 11નું ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે. તેમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે 50% વિદ્યાર્થીઓને બોલાવવામાં છે. એટલે અમારો કાર્યભાર બે ભાગમાં વહેંચાઇ જશે. એટલે એક અઠવાડિયાના 6 પીરીયડ હોય છે, પણ આ સીસ્ટમ અનુસાર અમારે 6 પીરીયડનું કામ 3 પીરીયડમાં કરવાનું રહેશે. હું સરકારનો આભાર પણ માનું છું.

શાળામાં અભ્યાસ કરવામાં માટે આવેલા અમદાવાદના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, અમે લાંબા સમયથી ઓનલાઈન શિક્ષણ મળતું હતું અને ઘણા સમય પછી ઓફલાઈન શિક્ષણ મેળવવાનો મોકો મળ્યો છે. અમે ખૂબ જ આનંદમાં છીએ. ઓફલાઈન શિક્ષણ શરૂ થતા અમે મિત્રો સાથે આટલા લાંબા સમય પછી મળ્યા એટલે અમને ખૂબ સારું લાગે છે.

About The Author

Related Posts

Top News

સરકારે જણાવ્યા ખાંડની કિંમત વધવાના કારણો

છેલ્લા કેટલાક અઠવાડિયામાં ખાંડના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. જોકે, કેન્દ્ર સરકારે શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે ભાવવધારા...
Business 
સરકારે જણાવ્યા ખાંડની કિંમત વધવાના કારણો

ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, વરસાદની પેટર્ન હવે વધુ અસંતુલિત બની

ભારતમાં ચોમાસું હજુ પૂરું થયું નથી, પરંતુ વરસાદની પેટર્ન હવે વધુ અસંતુલિત અને પસંદગીયુક્ત બની રહી છે. ઉત્તર-પૂર્વ મધ્ય...
National 
ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, વરસાદની પેટર્ન હવે વધુ અસંતુલિત બની

સરકારે વચન તોડ્યું... CJPએ જંતર-મંતર જેવા વિરોધ પ્રદર્શનોની ચેતવણી આપતા કહ્યું, અમે યુવાનોને...

રવિવારે (23 ઓગસ્ટ) કોકરોચ જનતા પાર્ટીએ કેન્દ્ર સરકારને જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને સમાપ્ત કરતી વખતે આપેલા વચનો...
National 
સરકારે વચન તોડ્યું... CJPએ જંતર-મંતર જેવા વિરોધ પ્રદર્શનોની ચેતવણી આપતા કહ્યું, અમે યુવાનોને...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 24-08-2026 દિવસ: સોમવાર મેષ: કાર્યક્ષેત્રમાં અવનવી તકો જણાય, સાવચેતી રાખીને આગળ વધવું, આવનારા વિઘ્નો હળવા થતા જણાય. વૃષભ: દિવસ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.