સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર, ગ્રેજ્યુઈટી મામલે રાજ્ય સરકારે કરી આ મોટી જાહેરાત

હવે ગુજરાત સરકારના અલગ-અલગ વિભાગોમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. સરકારી કર્મચારીઓને અત્યાર સુધી રાજ્ય સરકાર દ્વારા 10 લાખ રૂપિયાની ગ્રેજ્યુઇટી મળતી હતી. અલગ-અલગ કોર્પોરેશન, નિગમ અને બોર્ડના કર્મચારીઓની ગ્રેજ્યુઇટીની રકમ મામલે સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સરકારી કર્મચારીઓને 10 લાખના બદલે 20 લાખ સુધીની મર્યાદામાં ગ્રેજ્યુઇટી મળવા પાત્ર થશે.

આ બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, જે કર્મચારીઓને ગ્રેજ્યુઇટી મેળવવા પાત્ર છે, તે તમામ કર્મચારીઓને જે ગ્રેજ્યુઇટી આપવામાં આવે છે. તેની મર્યાદા 10 લાખ સુધીની હતી. ભારત સરકારના માર્ગદર્શન પ્રમાણે તેમજ ધોરણો પ્રમાણે ગુજરાત સરકારે 29-3-2018ના રોજ નિર્ણય કર્યો હતો કે, ગુજરાત સરકારના કર્મચારીઓને 10 લાખના બદલે 20 લાખ સુધીની મર્યાદામાં ગ્રેજ્યુઇટી મળવા પાત્ર થશે. ગુજરાત સરકારના બોર્ડ-નિગમો, કોર્પોરેશનો અને અન્ય સંસ્થાઓના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ અને મારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, અમારી ગ્રેજ્યુઇટીની મર્યાદામાં પણ સરકાર વધારો કરી આપે.

 

Posted by Nitin Patel on Wednesday, 14 August 2019

જેના આધારે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, ગુજરાત સરકારના નિગમ, બોર્ડ અને કોર્પોરેશનના અધિકારી અને કર્મચારીઓને પણ હવે 10 લાખ રૂપિયાની માર્યાદામાં ગ્રેજ્યુઇટી મળતી હતી તેના બદલે ગુજરાત સરકારના બધા કર્મચારીઓના ધોરણ પ્રમાણે તેમને પણ 20 લાખ રૂપિયાની ગ્રેજ્યુઇટી મળવા પાત્ર થશે અને જેમ-જેમ જે બોર્ડ, નિગમ કે કોર્પોરેશનની ફાઈલ નાણા વિભાગ સમક્ષ આવતી જશે આ મંજૂરી મેળવવા માટે એ પ્રમાણે રાજ્ય સરકાર મંજૂરી આપશે. તાજેતરમાં જ અમે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ એટલે કે, GIDCના જેડાના નિગમોની દરખાસ્ત આવી હતી તેને મંજૂરી આપી હતી અને હવે બાકીના નિગમો પણ સરકારમાં દરખાસ્ત કરશે તો નાણા વિભાગ તેની ચકાસણી કરીને મંજૂરી આપશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.