અમદાવાદના અમિત શાહના ઘરની વધશે સુરક્ષા, 24 લાખના ખર્ચે જાણો શું થવાનું છે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અમદાવાદ સ્થિત આવાસની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું અમવાદના થલતેજ વિસ્તારમાં ઘર છે. આ ઘરની સુરક્ષા વધારવા માટે એક વ્યૂ કટર (દૃશ્ય અવરોધક) લગાવવામાં આવશે. વ્યૂ કટર લગાવવા માટે અમવાદ શહેરી વિકાસ ઓથોરિટી (AUDA)એ ટેન્ડર જાહેર કર્યું છે. ઓથોરિટીના અધિકારીઓના જણાવ્યા મુજબ, વ્યૂ કટરને સુરક્ષાની ચિંતાઓને દૂર કરવાના ઉદ્દેશ્યથી લગાવવામાં આવશે.

તેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. અમદાવાદમાં આ પહેલો મામલો છે જ્યારે કોઈ VVIPની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે વ્યૂ કટર ઇન્સ્ટોલ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભાથી સાંસદ છે. તેઓ સંસદીય ક્ષેત્રથી વિકાસ કાર્યોની ગતિવિધિઓમાં હિસ્સો લેવા સાથે બીજા કાર્યક્રમો માટે અમદાવાદ આવતા રહે છે. રિપોર્ટ્સ મુજબ, કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ થલતેજ વિસ્તારમાં સ્થિત કેન્દ્રીય ગૃહ મંત્રીના આવાસની સુરક્ષા સખત કરવા માટે પોલીસને આગ્રહ કર્યો હતો.

અમદાવાદ શહેર પોલીસ અને AUDAના અધિકારીઓના સંયુક્ત નિરીક્ષણના વ્યૂ કટર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના રિપોર્ટ બાદ અમદાવાદ શહેરી વિકાસ ઓથોરિટીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના આવસની સુરક્ષા માટે વ્યૂ કટર લગાવવાનું ટેન્ડર જાહેર કર્યું છે. આ ટેન્ડર 24.82 લાખ રૂપિયાનું છે. વ્યૂ કટર હેઠળ ઈમારતના સીધા વ્યૂને બાધિત કરવામાં આવે છે.

દિલ્હીમાં તમામ રક્ષા પ્રતિષ્ઠાનો અને VVIP આવાસો પર વ્યૂ કટર લગાવવામાં અવે છે જેથી સામાન્ય સ્થિત કોઈ અનિચ્છનીય વસ્તુના પ્રવેશને રોકી શકાય. એટલું જ નહીં, દૂરથી ઇમારતની અંદરની ગતિવિધિઓ પર નજર ન રાખી શકાય. ઘણી વખત વ્યૂને રોક્યા બાદ દીવાલની ઊંચાઈ પણ વધારવામાં આવે છે. જરૂરિયાત પડવા પર અસ્થાયી રીતે ફેન્સિંગ પણ લગાવવામાં આવે છે. તેમાં શીટ્સ અને બીજા મટિરિયલનો પ્રયોગ કરવામાં આવે છે.

મોટા ભાગના મામલે દેશની મોટી લેબ્સ, અનુસંધાન સંસ્થાઓ કે VVIP આવાસોમાં આ પ્રકારનું વ્યૂ કટર સિસ્ટમ લગાવવામાં આવે છે. કોઈ ભવન કે સ્થાનથી સીધા VVIP ભવનમાં જોવા માટે બેરિયર બનાવવામાં આવે છે, તેને વ્યૂ કટરના નામથી ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે સામાન્ય રીતે એક VVIP ઇમારત ઊંચી દીવાલોથી ઘેરાયેલી હોય છે, પરંતુ એ મામલામાં ખતરનાક છે જ્યાં બીજી ઊંચી ઇમારતોથી નીચલી-ઊંચાઈવાળા આવાસ સ્થળથી સીધા જોઈ શકાતા હોય કે જ્યાં તેની અંદરના લોકોની અવર-જવર જોઈ શકાય છે. એ સુરક્ષાના હિસાબે ખતરનાક હોય શકે છે એટલે VVIP ઇમારતોને આ પ્રકારના પ્રત્યક્ષ દૃશ્યથી બચવા માટે લગાવવામાં આડને વ્યૂ કટર કહેવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.