ગાયના છાણથી બનેલા ઘરો એટોમિક રેડિએશનથી પ્રભાવિત નથી થતાઃ કોર્ટનું નિવેદન

પશુઓની દાણચોરીના કેસમાં દોષિતને આજીવન કેદની સજા ફટકારતી વખતે તાપી ડિસ્ટ્રિક્ટ કોર્ટે કેટલીક ટિપ્પણીઓ કરી છે. કહેવાય છે કે ગાયના છાણથી બનેલા ઘરો પરમાણુ રેડિએશનથી પ્રભાવિત નથી થતા. ગૌમૂત્રનો ઉપયોગ અનેક અસાધ્ય રોગોની સારવારમાં થાય છે.

ગુજરાતની એક કોર્ટે પશુઓની દાણચોરીના કેસમાં દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે તેના પર 5 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે કેટલીક વિચિત્ર ટિપ્પણીઓ કરી છે. તાપી ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સમીર વિનોદચંદ્ર વ્યાસે જણાવ્યું હતું કે, ગૌહત્યા બંધ થાય તો ધરતીની તમામ સમસ્યાઓ હલ થઈ જાય. વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે ગાયના છાણમાંથી બનેલા ઘરો પરમાણુ રેડિએશનથી પ્રભાવિત થતા નથી. ગૌમૂત્રનો ઉપયોગ અનેક અસાધ્ય રોગોની સારવારમાં થાય છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હકીકતમાં, કોર્ટે દાવો કર્યો છે કે વિજ્ઞાને સાબિત કર્યું છે કે ગાયના છાણથી બનેલા ઘરો પરમાણુ રેડિયેશનથી પ્રભાવિત નથી થતા. બાર અને બેંચના અહેવાલ મુજબ નવેમ્બરમાં પસાર કરાયેલા આદેશમાં એ વાત પર પણ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે ગાય સંરક્ષણ સાથે જોડાયેલી તમામ બાબતોને અમલમાં મૂકવામાં આવી નથી. ગાય માત્ર પ્રાણી નથી પણ માતા છે. ગાય એ 68 કરોડ પવિત્ર સ્થાનો અને 33 કરોડ દેવતાઓનો જીવંત ગ્રહ છે. સમગ્ર બ્રહ્માંડ પર ગાયનું દાયિત્વ વર્ણનની બહાર છે.

કોર્ટે વિવિધ કલમોનો ઉલ્લેખ કરતા વધુમાં કહ્યું કે જો ગાયોને દુ:ખી રાખવામાં આવે તો આપણું ધન અને સંપત્તિ ગાયબ થઈ જાય છે. ન્યાયાધીશે ગૌહત્યાને હવામાન પરિવર્તન સાથે પણ જોડ્યો. કોર્ટે કહ્યું કે આજે જે સમસ્યાઓ છે તે વધતા ચીડિયાપણું અને ગરમ સ્વભાવના કારણે છે. તેની વૃદ્ધિનું એકમાત્ર કારણ ગૌહત્યા છે. જ્યાં સુધી તે સંપૂર્ણપણે બંધ ન થાય ત્યાં સુધી સાત્વિક આબોહવા પરિવર્તનની અસર થઈ શકે નહીં.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઓગસ્ટમાં પોલીસ ગાયની તસ્કરીના આરોપમાં ધરપકડ કરાયેલા યુવકના કેસમાં સુનાવણી કરી રહી હતી. આરોપી પર 16થી વધુ ગાયોની ગેરકાયદેસર દાણચોરીનો આરોપ છે. કોર્ટે તસ્કરને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.