26th January selfie contest

ગાયના છાણથી બનેલા ઘરો એટોમિક રેડિએશનથી પ્રભાવિત નથી થતાઃ કોર્ટનું નિવેદન

PC: twitter.com

પશુઓની દાણચોરીના કેસમાં દોષિતને આજીવન કેદની સજા ફટકારતી વખતે તાપી ડિસ્ટ્રિક્ટ કોર્ટે કેટલીક ટિપ્પણીઓ કરી છે. કહેવાય છે કે ગાયના છાણથી બનેલા ઘરો પરમાણુ રેડિએશનથી પ્રભાવિત નથી થતા. ગૌમૂત્રનો ઉપયોગ અનેક અસાધ્ય રોગોની સારવારમાં થાય છે.

ગુજરાતની એક કોર્ટે પશુઓની દાણચોરીના કેસમાં દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે તેના પર 5 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે કેટલીક વિચિત્ર ટિપ્પણીઓ કરી છે. તાપી ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સમીર વિનોદચંદ્ર વ્યાસે જણાવ્યું હતું કે, ગૌહત્યા બંધ થાય તો ધરતીની તમામ સમસ્યાઓ હલ થઈ જાય. વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે ગાયના છાણમાંથી બનેલા ઘરો પરમાણુ રેડિએશનથી પ્રભાવિત થતા નથી. ગૌમૂત્રનો ઉપયોગ અનેક અસાધ્ય રોગોની સારવારમાં થાય છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હકીકતમાં, કોર્ટે દાવો કર્યો છે કે વિજ્ઞાને સાબિત કર્યું છે કે ગાયના છાણથી બનેલા ઘરો પરમાણુ રેડિયેશનથી પ્રભાવિત નથી થતા. બાર અને બેંચના અહેવાલ મુજબ નવેમ્બરમાં પસાર કરાયેલા આદેશમાં એ વાત પર પણ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે ગાય સંરક્ષણ સાથે જોડાયેલી તમામ બાબતોને અમલમાં મૂકવામાં આવી નથી. ગાય માત્ર પ્રાણી નથી પણ માતા છે. ગાય એ 68 કરોડ પવિત્ર સ્થાનો અને 33 કરોડ દેવતાઓનો જીવંત ગ્રહ છે. સમગ્ર બ્રહ્માંડ પર ગાયનું દાયિત્વ વર્ણનની બહાર છે.

કોર્ટે વિવિધ કલમોનો ઉલ્લેખ કરતા વધુમાં કહ્યું કે જો ગાયોને દુ:ખી રાખવામાં આવે તો આપણું ધન અને સંપત્તિ ગાયબ થઈ જાય છે. ન્યાયાધીશે ગૌહત્યાને હવામાન પરિવર્તન સાથે પણ જોડ્યો. કોર્ટે કહ્યું કે આજે જે સમસ્યાઓ છે તે વધતા ચીડિયાપણું અને ગરમ સ્વભાવના કારણે છે. તેની વૃદ્ધિનું એકમાત્ર કારણ ગૌહત્યા છે. જ્યાં સુધી તે સંપૂર્ણપણે બંધ ન થાય ત્યાં સુધી સાત્વિક આબોહવા પરિવર્તનની અસર થઈ શકે નહીં.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઓગસ્ટમાં પોલીસ ગાયની તસ્કરીના આરોપમાં ધરપકડ કરાયેલા યુવકના કેસમાં સુનાવણી કરી રહી હતી. આરોપી પર 16થી વધુ ગાયોની ગેરકાયદેસર દાણચોરીનો આરોપ છે. કોર્ટે તસ્કરને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp