ગાયના છાણથી બનેલા ઘરો એટોમિક રેડિએશનથી પ્રભાવિત નથી થતાઃ કોર્ટનું નિવેદન

પશુઓની દાણચોરીના કેસમાં દોષિતને આજીવન કેદની સજા ફટકારતી વખતે તાપી ડિસ્ટ્રિક્ટ કોર્ટે કેટલીક ટિપ્પણીઓ કરી છે. કહેવાય છે કે ગાયના છાણથી બનેલા ઘરો પરમાણુ રેડિએશનથી પ્રભાવિત નથી થતા. ગૌમૂત્રનો ઉપયોગ અનેક અસાધ્ય રોગોની સારવારમાં થાય છે.

ગુજરાતની એક કોર્ટે પશુઓની દાણચોરીના કેસમાં દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે તેના પર 5 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે કેટલીક વિચિત્ર ટિપ્પણીઓ કરી છે. તાપી ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સમીર વિનોદચંદ્ર વ્યાસે જણાવ્યું હતું કે, ગૌહત્યા બંધ થાય તો ધરતીની તમામ સમસ્યાઓ હલ થઈ જાય. વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે ગાયના છાણમાંથી બનેલા ઘરો પરમાણુ રેડિએશનથી પ્રભાવિત થતા નથી. ગૌમૂત્રનો ઉપયોગ અનેક અસાધ્ય રોગોની સારવારમાં થાય છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હકીકતમાં, કોર્ટે દાવો કર્યો છે કે વિજ્ઞાને સાબિત કર્યું છે કે ગાયના છાણથી બનેલા ઘરો પરમાણુ રેડિયેશનથી પ્રભાવિત નથી થતા. બાર અને બેંચના અહેવાલ મુજબ નવેમ્બરમાં પસાર કરાયેલા આદેશમાં એ વાત પર પણ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે ગાય સંરક્ષણ સાથે જોડાયેલી તમામ બાબતોને અમલમાં મૂકવામાં આવી નથી. ગાય માત્ર પ્રાણી નથી પણ માતા છે. ગાય એ 68 કરોડ પવિત્ર સ્થાનો અને 33 કરોડ દેવતાઓનો જીવંત ગ્રહ છે. સમગ્ર બ્રહ્માંડ પર ગાયનું દાયિત્વ વર્ણનની બહાર છે.

કોર્ટે વિવિધ કલમોનો ઉલ્લેખ કરતા વધુમાં કહ્યું કે જો ગાયોને દુ:ખી રાખવામાં આવે તો આપણું ધન અને સંપત્તિ ગાયબ થઈ જાય છે. ન્યાયાધીશે ગૌહત્યાને હવામાન પરિવર્તન સાથે પણ જોડ્યો. કોર્ટે કહ્યું કે આજે જે સમસ્યાઓ છે તે વધતા ચીડિયાપણું અને ગરમ સ્વભાવના કારણે છે. તેની વૃદ્ધિનું એકમાત્ર કારણ ગૌહત્યા છે. જ્યાં સુધી તે સંપૂર્ણપણે બંધ ન થાય ત્યાં સુધી સાત્વિક આબોહવા પરિવર્તનની અસર થઈ શકે નહીં.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઓગસ્ટમાં પોલીસ ગાયની તસ્કરીના આરોપમાં ધરપકડ કરાયેલા યુવકના કેસમાં સુનાવણી કરી રહી હતી. આરોપી પર 16થી વધુ ગાયોની ગેરકાયદેસર દાણચોરીનો આરોપ છે. કોર્ટે તસ્કરને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.