કાશ્મીરમાં આતંકી સાથેની અથડામણમાં ગુજરાતનો વીર જવાન શહીદ, પત્ની ગર્ભવતી હતા

જમ્મૂ-કશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં માત્ર 25 વર્ષના ગુજરાતી યુવાન શહીદ થયા હોવાનું જાણવા મળ્યું છે. મૂળ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરના, પરંતુ અત્યારે અમદાવાદમાં રહેતા આ વીર સૈનિકનો પાશ્વરદેહ રવિવારે બપોરે તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો તો  સેંકડોની સંખ્યામાં ભેગા થયેલા લોકોની આંખોમાંથી વીર જવાનને નમન કરતી વખતે આંખોમાંથી અશ્રુધારા વહેવવા માંડી હતી. જવાનને સન્માન આપવા માટે અમદાવાદ એરપોર્ટથી વિરાટ નગર તેમના ઘર સુધી લોકોની ભીડ જોવા મળી હતી અને જ્યારે અંતિમ યાત્રા નિકળી ત્યારે પરિવારના ચોધાર આંસુઓએ બધાને હચમચાવી મુક્યા હતા.

મુળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના અને અત્યારે અમદાવાદના વિરાટ નગરમાં રહેતા મહિપાલ સિંહ વાળા જમ્મૂ-કશ્મીરના કુલગામમાં  આતંકવાદીઓ સાથેની મૂઠભેડમાં શહીદ થઇ ગયા હતા. તેમની ઉમર માત્ર 25 વર્ષની હતી અને તેમના પત્ની ગર્ભવતી છે, મહિપાલ સિંહ પિતા તરીકે ખુશી મેળવે તે પહેલા આતંકવાદીઓની ગોળીએ આ વીર જવાનની ખુશી છીનવી લીધી હતી. દેશની સુરક્ષા માટે ગુજરાતી જવાને પોતાની જાન ન્યોછાવર કરી દીધી હતી.

ઇન્ડિયન આર્મીના વીર જવાન મહિપાલ સિંહ વાળાના પાર્થિવ દેહને રવિવારે વિમાન મારફતે અમદાવાદ લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી તેમની વિરાટ નગરના ઘરે અને પછી ઘરેથી સ્મશાન સુધીની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. મહિપાલ સિંહ શહીદ થયા હોવાની વાત લોકોને ખબર હતી એટલે જ્યારે તેમના પાર્થિવ દેહને એરપોર્ટથી વિરાટનગર લાવવામાં આવ્યો ત્યારે ઠેર ઠેર લોકોની ભીડ આ વીર જવાનને નમન કરવા માટે ઉભી હતી. વીર જવાનના માનમાં ઠેર ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.જ્યારે શહીદ જવાનની અંતિમ યાત્રા નિકળી તો લોકો તેમના આંસૂ રોકી શક્યા નહોતા. પુરા માન સન્માન સાથે જવાનને વિદાય આપવામાં આવી હતી.

વીર શહીદ જવાન મહિપાલ સિંહ વાળા વર્ષ 2016માં ભારતીય સેનામાં જોડાયા હતા અને મધ્ય પ્રદેશના જબલપુરમાં તેમણે 1 વર્ષની ટ્રેનિંગ લીધી હતી. તેમનુ પહેલું પોસ્ટિંગ આસામના ગૌહાટીમાં  થયુ હતું. ગૌહાટી પછી તેમનીપોસ્ટિંગ ચંદીગઢ થઇ હતી અને છેલ્લાં 6 મહિનાથી તેમની જમ્મ-કશ્મીર ખાતે બદલી કરવામાં આવી હતી.શહીદ જવાન મહિપાલનું પોસ્ટિંગ 34 રાષ્ટ્રીય રાઇફલમાં થયું હતું.

વીર જવાન મહિપાલ સિંહના હજુ તો 3 વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા અને તેમના પત્ની અત્યારે ગર્ભવતી છે અને 9 મહિના પુરા થવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે. મતલબ કે મહિપાલ સિંહ ટુંક સમયમાં પિતા બનવાની તૈયારીમાં હતા. પરંતુ એ પહેલાં તેઓ શહીદ થઇ ગયા છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.