ગુજરાતમાં માતા-પિતાની મંજૂરી વિના લવ મેરેજ નહીં થાય? CM પટેલે કહી મોટી વાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, તેમની સરકાર એ વાતનો અભ્યાસ કરશે કે શું લવ મેરેજ માટે માતા-પિતાની મંજૂરીને અનિવાર્ય બનાવવાનું પ્રાવધાન સંવૈધાનિક સીમામાં રહીને કરી શકાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટિપ્પણી પાટીદાર સમુદાયના કેટલાક પક્ષો દ્વારા લવ મેરેજ માટે માતા-પિતાની મંજૂરીને અનિવાર્ય બનાવવાની માગના જવાબમાં કરી હતી.

મહેસાણા જિલ્લામાં પાટીદાર સમાજના પ્રતિનિધિત્વ કરનારા સરદાર પટેલ ગ્રુપ દ્વારા રવિવારે આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમને લગ્ન માટે છોકરીઓને ભગાવવાની ઘટનાઓનો અભ્યાસ કરવાનું સૂચન કર્યું છે જેથી એવી વ્યવસ્થા બનાવી શકાય, જેમાં (લવ મરેજ માટે) માતા-પિતાની મંજૂરી અનિવાર્ય હોય.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, (ઋષિકેશ પટેલે) મને છોકરીઓને ભગાવવાની ઘટનાઓનો અભ્યાસ કરાવવા કહ્યું છે, જેથી એ જોઇ શકાય કે શું (લવ મરેજ માટે) માતા-પિતાની સહમતીને અનિવાર્ય બનાવી શકાય છે? જો સંવિધાન સમર્થન કરે છે તો અમે આ સંબંધમાં અભ્યાસ કરીશું અને તેના માટે સર્વોત્તમ વ્યવસ્થા લાગૂ કરવાનો પ્રયાસ કરીશું. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ કહ્યું કે જો સરકાર વિધાનસભામાં આ સંબંધમાં બિલ લઇને આવે છે તેઓ તેનું સમર્થન કરશે.

તેમણે કહ્યું કે, ‘એવો સમય જેમાં લવ મરેજ દરમિયાન માતા-પિતાને નજરઅંદાજ કરી દેવામાં આવે છે. સરકાર લવ મેરેજ માટે વિશેષ પ્રવધાન કરવા પર વિચાર કરી રહી છે જે સંવૈધાનિક હોય. મુખ્યમંત્રીએ ભરોસો અપાવ્યો છે કે લવ મરેજ માટે માતા-પિતાની મંજૂરીને અનિવાર્ય બનાવવાને લઇને અભ્યાસ કરાવવામાં આવશે. જો રાજ્ય સરકાર વિધાનસભા સત્રમાં એવું કોઇ બિલ લાઇને આવે છે તો હું તેનું સમર્થન કરીશ.

ગુજરાત સરકારે વર્ષ 2021માં ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમમાં સંશોધન કર્યું હતું અને લગ્ન માટે બળજબરી કે ખોટી રીતે ધર્માંતણને દંડનીય ગુનો બનાવ્યો હતો. સંશોધિત અધિનિયમ હેઠળ દોષીઓને 10 વર્ષની જેલની સજા આપવાનું પ્રવધાન કર્યું હતું. જો કે ત્યારબાદ ગુજરાત હાઇ કોર્ટે અધિનિયમની વિવાદિત કલમોનના અમલ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો અને કેસ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.