બીજી લહેર દરમિયાન વડોદરામાં મોત બાદ થયા હતા અંતિમ સંસ્કાર, હવે ઘરે પાછો ફર્યો

પરિવારજનો અને પાડોશીઓના આશ્ચર્ય અને વિસ્મયનો એ સમયે ઠેકાણું ન રહ્યું જ્યારે મધ્ય પ્રદેશના ધાર જિલ્લાનો રહેવાસી એક યુવક, જેને ગુજરાતની હૉસ્પિટલમાં કોરોનાની બીજી લહેર દરમિયાન વર્ષ 2021માં મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો અને તેના શબનો અંતિમ સંસ્કાર થઈ ગયો હતો. તે ઘરે પાછો ફરી આવ્યો. ઘટનાની જાણકારી ધારના કરોદકાલા ગામથી મળી. 35 વર્ષીય કમલેશ પાટીદારે શનિવારે સવારે પોતાની માસીને ઘરે પહોંચ્યો અને દરવાજો ખખડાવ્યો.

તેના પિતરાઇ ભાઈ મુકેશ પાટીદારના જણાવ્યા મુજબ, કમલેશ કોરોના વાયરસ મહામારીની બીજી લહેર દરમિયાન બીમાર પડી ગયો. તેને વડોદરાની એક હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો. ત્યારબાદ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો અને તેના શરીરને પરિવારના સભ્યોને સોંપી દીધું, જેમણે તેનો અંતિમ સંસ્કાર કરી દીધો. જો કે, શનિવારે કમલેશ પાટીદાર અચાનક ઘરે આવતો રહ્યો, પરંતુ છેલ્લા 2 વર્ષ દરમિયાન પોતાના રહેઠાણ અંગે કંઈ જણાવ્યું નથી.

કાનવા પોલીસ સ્ટેશનના પ્રભારી રામ સિંહ રાઠોડે જણાવ્યું કે, પરિવારના લોકોના જણાવ્યા મુજબ કમલેશ પાટીદાર કોરોના વાયરસના સંક્રમણનો પીડિત હતો અને વડોદરાની હૉસ્પિટલ દ્વારા તેને મૃત જાહેર કર્યા બાદ પરિવારના સભ્યોએ ત્યાં જ તેનો અંતિમ સંસ્કાર કર્યો અને પોતાના ગામે જતા રહ્યા. કમલેશ પાટીદારનું નિવેદન નોંધ્યા બાદ જ વસ્તુ સ્પષ્ટ થઈ શકશે. ખાસ કરીને એ વાત પર કે તે પોતાના મોત બાદ ક્યાં હતો. જે હૉસ્પિટલે તેને મૃત જાહેર કર્યો તે સરકારી હૉસ્પિટલ બતાવવામાં આવી રહી છે.

કમલેશની પત્ની પણ 2 વર્ષથી વિધવાનું જીવન વિતાવી રહી હતી, પરંતુ જેવો જ કમલેશ જીવતો હોવાની જાણકારી મળી તો તેના ઉદાશ ચહેરા પર ખુશીઓ આવી ગઈ. શનિવારે સવારે પુત્ર કમલેશ જીવિત હોવાની મળી તો પિતાને વિશ્વાસ ન થયો. તાત્કાલિક વીડિયો કોલ કરીને કમલેશ હોવાનું પુષ્ટિ કરી. કમલેશે પણ પોતાના પિતા અને સ્વજનોને જોઈને ભાવુક થઈ ગયો. ત્યારબાદ બધા સ્વજન બદવેલી પહોંચ્યા. મિલન બાદ જીવિત હોવાનું પુષ્ટિ માટે શાસકીય પ્રક્રિયા પૂર્વ કરવા માટે સરદારપુર પોલીસ સ્ટેશને જાણકારી આપવામાં આવી, પરંતુ યુવક કડોદકલાનો રહેવાસી છે, જે કાનવન પોલીસ સ્ટેશન અંતર્ગત આવે છે એટલે સરદારપુર પોલીસે તેના સંબંધિત પોલીસ સ્ટેશને લઈ જવાની સલાહ આપી છે.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.