'ગુજરાત BJPનો ગઢ હતો, છે અને રહેશે', શાહે ઐતિહાસિક જીત પર ગર્જના કરી

ગુજરાતના સુરતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા નવા ચૂંટાયેલા ધારાસભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે પણ BJPના સુરત શહેર અને જિલ્લા સમિતિ દ્વારા આયોજિત નવા ચૂંટાયેલા ધારાસભ્યોના સન્માન સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યો હતો. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને સંબોધતા અમિત શાહે ગુજરાત ચૂંટણીમાં મળેલી જીતને ખાસ ગણાવી હતી.

અમિત શાહે કહ્યું કે, ગુજરાતની જીતથી દેશભરના કાર્યકરોમાં નવો ઉત્સાહ આવશે. તેમણે કહ્યું કે, આ જીત આગામી ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણીમાં BJP માટે સકારાત્મક આપનારી જીત છે. તેમણે આમ આદમી પાર્ટી (AAP)નું નામ લીધા વિના તેના પર પણ નિશાન સાધ્યું અને BJPની જીતનો શ્રેય પેજ પ્રમુખોને પણ આપ્યો હતો.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ગુજરાત ચૂંટણીમાં આટલી મોટી જીત BJPના કાર્યકરોના કારણે છે. તેમણે આ ચૂંટણી જીતમાં પેજ પ્રમુખોની ભૂમિકાને પણ મહત્વની ગણાવી હતી અને કહ્યું હતું કે તેઓ બધાએ સાથે મળીને અમારી યોજના જમીન પર ઉતારી હતી. અમિત શાહે કહ્યું કે, જે અભૂતપૂર્વ જીત મળી છે, આ રેકોર્ડને ભવિષ્યમાં પણ તોડવો મુશ્કેલ છે.

તેમણે આમ આદમી પાર્ટી (AAP)નું નામ લીધા વગર પ્રહારો કર્યા અને કહ્યું કે, ગુજરાતમાં નવા પક્ષો પણ આવ્યા. અમિત શાહે કહ્યું કે, નવી પાર્ટીઓએ મોટા-મોટા દાવા કર્યા, વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક બાંહેધરી આપી, પરંતુ જ્યારે ચૂંટણી પરિણામ આવ્યા તો તેનો સફાયો થઈ ગયો. તેમણે કહ્યું કે, ચૂંટણી પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાતની જનતા BJP, PM નરેન્દ્ર મોદીને આવકારવા માટે તૈયાર હતી.

અમિત શાહે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામને ઘણી રીતે ખાસ ગણાવ્યા. તેમણે કહ્યું કે, તાજેતરની ચૂંટણીમાં મળેલી ભવ્ય જીતે દેશને સંદેશ આપ્યો છે કે, ગુજરાત BJPનો ગઢ હતો, છે અને રહેશે. શાહે કહ્યું કે, ગુજરાતના આ પરિણામોની 2024ની લોકસભા ચૂંટણી પર પણ સકારાત્મક અસર પડશે. આ જીત રાજકીય ચિત્ર બદલવાવાળી સાબિત થશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં BJPનો જંગી વિજય થયો છે. ગુજરાત ચૂંટણીમાં BJPએ રાજ્યની 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતી હતી. ગત ચૂંટણીની સરખામણીએ BJPનો વોટ શેર પણ ત્રણ ટકા વધ્યો છે. આક્રમક પ્રચાર કરનાર આમ આદમી પાર્ટી (AAP)ની બેઠકો બે આંકડા સુધી પણ પહોંચી શકી નહોતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.