ટેક્સીમાં બેસીને જવાનું હતું USA, ચૌધરી પરિવારે 11 લોકો પાસેથી 60 લાખ લીધા હતા

અમેરિકામાં સ્થાયી થવા માટે મહેસાણાના માણેકપુરાના ચૌધરી પરિવારે 11 લોકો પાસેથી 60 લાખની રકમ ઉઘરાવી હતી અને પછી આ રકમ વિદેશ મોકલતા એજન્ટોને આપી હતી. તે સમયે નક્કી કરવામાં આવ્યું હતું કે, પરિવારને ટેક્સીમાં સડક માર્ગે અમેરિકા લઈ જવામાં આવશે, પરંતુ એવું બન્યું નહીં. એજન્ટોના ફંદામાં ફસાયેલો પરિવાર કેનેડા પહોંચ્યો હતો અને એજન્ટો દ્વારા તેમને બોટમાં બેસાડવામાં આવ્યા હતા. સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલટી જતાં સમગ્ર ચૌધરી પરિવાર મૃત્યુ પામ્યો હતો. ચૌધરી પરિવારના મૃત્યુના એક મહિના બાદ પોલીસે ત્રણ એજન્ટો સામે ગુનો નોંધ્યો છે.

કેનેડામાં માર્યા ગયેલા પ્રવીણ ચૌધરીના પરિવારના નાના ભાઈ અશ્વિન ચૌધરીએ પોલીસ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રવીણ ચૌધરી તેના પરિવાર સાથે 3 ફેબ્રુઆરીના રોજ ટુરિસ્ટ વિઝા પર કેનેડા ફરવા ગયો હતો. જ્યારે નિકુલ સિંહને ચૌધરી પરિવારના કેનેડા જવાની ખબર પડી, તો તેણે કહ્યું કે જો તેઓ અમેરિકા જવા માંગતા હોય તો તેઓ તેમને મોકલી દેશે. આ માટે વ્યક્તિ દીઠ 15 લાખ રૂપિયા ચૂકવવા પડશે. પ્રવીણ ચૌધરીએ તેના સંબંધીઓ અને સોનું ગીરો મૂકીને નિકુલ સિંહને 60 લાખ રૂપિયા આપ્યા હતા. ટેક્સીને બદલે ચૌધરી પરિવારને ખોટી રીતે બોટ મારફતે અમેરિકા મોકલવામાં આવ્યો હતો જે બોટ ડૂબી ગઈ હતી અને 30-31 માર્ચના રોજ ચૌધરી પરિવારનું મૃત્યુ થયું હતું. અશ્વિન ચૌધરીના મોટા ભાઈ પ્રવિણ ચૌધરી (50), તેની પત્ની દક્ષાબેન (45), પુત્રી વિધિ (23) અને પુત્ર મીત (20) કેનેડા-US બોર્ડર પર સેન્ટ લોરેન્સ નદીમાં તેમની બોટ પલટી જતા ઘટનામાં ડૂબી જવાથી તેમનું મોત થયું હતું. બોટ ખીચોખીચ ભરેલી હોવાનું પણ બહાર આવ્યું હતું.

ફરિયાદી ચૌધરીએ દાવો કર્યો છે કે, પ્રવીણભાઈએ બોટમાં બેસવાની ના પાડી હતી. આ પછી પણ તેઓને મજબુર કરવામાં આવ્યા હતા. અશ્વિનની વાત માનીએ તો તેમણે પોતે જ આ વાત કહી હતી. 3-4 એપ્રિલે જ્યારે મીડિયામાં અકસ્માતના સમાચાર આવ્યા ત્યારે મહેસાણામાં હાજર પરિવારજનોને તેની જાણ થઈ હતી. અશ્વિન ચૌધરીની ફરિયાદ પર પોલીસે વિજાપુર તાલુકાના વડાસણ ગામના રહેવાસી એજન્ટ નિકુલ સિંહ વિહોલ અને હાલ કેનેડાના રહેવાસી સચિન વિહોલ તથા દધીયાલ (મણિનગર) ગામનો રહેવાસી અર્જુન સિંહ ચાવડા (સચિનનો સાળો) વિરુદ્ધ FIR દાખલ કરી છે. તેમની વિરુદ્ધ IPCની કલમ 304 (હત્યાનો ઈરાદો ન હોય તેવા દોષી, માનવહત્યા), 406 (વિશ્વાસઘાત), 420 (છેતરપિંડી), 120B (ગુનાહિત કાવતરું) હેઠળ FIR નોંધવામાં આવી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.