હાર્દિક પટેલ પાટીદાર આંદોલનમાં થયેલા એક કેસમાં નિર્દોષ જાહેર

ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે 2017માં થયેલા એક કેસને લઈને કોર્ટ દ્વારા મહત્ત્વનો અને મોટો ચૂકાદો આપવામાં આવ્યો છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને જામનગરના એક કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2017ના કેસમાં નિર્દોષ છોડી મૂકવા માટે જામનગર કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા આપવામાં આવેલા આ ચૂકાદાના કારણે હાર્દિક પટેલને ચોક્કસપણે રાહત મળી છે તેમ કહી શકાય.

4 નવેમ્બર 2017નો રોજ જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું. આ દરમિયાન પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં જામનગરના ધૂળસિયામાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા માટે શૈક્ષણિક હેતુથી મંજૂરી લેવામાં આવી હતી, પણ તેમાં રાજકીય ભાષણ થતા આ મામલે ફરિયાદ નોંધાઇ હતી અને હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતો. રાજકીય ભાષણ કરવા બદલ પાસ કન્વિનર અંકિત ધેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જામનગર ચોથા એડી. ચીફ. જૂડી મેજીસ્ટ્રેટ એમ.ડી.નંદાણીની કોર્ટમાં ચૂકાદો આપવામાં આવ્યો છે. આ કેસમાં હાર્દિક પટેલના વકીલ દિનેશભાઇ વિરાણી તથા રાશિદભાઈ ખીરાની દલીલો માન્ય રાખી કોર્ટે ચૂકાદો આપ્યો છે. 25 ઓગસ્ટ 2015 ના રોજથી આક્રમક મોડમાં કરવામાં આવેલા આંદોલનને કારણે પહેલાં 9 અને ત્યારબાદ કુલ 14લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સાથે જ પાટીદાર અનામતની માગ સાથે આંદોલનની શરૂઆત કરનારા હાર્દિક પટેલ હવે એક સામાન્ય યુવકમાંથી નેતાના પદ પર પહોંચી ગયા છે.

થોડા દિવસ અગાઉ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને પાટીદાર આંદોલન સમયેના નિકોલ કેસમાં કોર્ટે સમન્સ પાઠવ્યું હતું અને ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલ સામે સમન્સ ઇશ્યુ કર્યુ હતું. તેમજ 8 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું છતા હાર્દિક પટેલ હાજર રહ્યા નહોતા.  કોર્ટમાં ગેરહાજર રહેવા પાછળનું કારણે મેડિકલ બતાવ્યું હતું. તો આ અંગે પાટીદાર આગેવાન અને આ કેસના આરોપી ગીતા પટેલે જણાવ્યું હતું કે, સરકાર ચૂંટણી વખતે જાહેરાત કરે છે અમે બધા કેસ પરત લઈ લઈશું, પરંતુ અમે હજુ પણ કોર્ટમાં આવીએ છીએ અને ટૂંકી મુદ્દત 5-8 દિવસની મુદ્દતે અમે આવી છીએ અને હેરાન થઈ રહ્યા છીએ તેમજ આજે બીજા બધા હાજર હતા ફક્ત હાર્દિક પટેલ ગેરહાજર હતા.

ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ સામે ચાર્જશીટ થઇ હતી, 100થી વધુ પેજની ચાર્જશીટ દાખલ કરાઇ હતી. કેસમાં 10થી વધુ સાક્ષીઓની જુબાની પણ લેવાઇ હતી. હાર્દિક પટેલની નીકોલમાં આમરણાંત ઉપવાસ પર બેસે તે પહેલા અટકાયત કરવામાં આવી હતી. હાર્દિક પટેલ સહિત 9 લોકોની અટકાયત બાદ ગુનો પણ નોંધાયો હતો. 25 ઓગસ્ટ 2018 પોલીસ સાથે ગેરવર્તનની ફરિયાદ નોંધાઇ હતી. ગીતા પટેલ, કિરણ પટેલ સહિતના લોકો સામે ગુનો નોંધાયેલો છે. 

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.