પ્રદિપસિંહ વાઘેલાના પ્રકરણમાં હર્ષ સંઘવી પાસેથી શું ગૃહ મંત્રાલય છીનવી લેવાશે?

ગુજરાતના રાજકારણમાં મોટા ભૂકંપના સમાચાર સામે આવી રહ્યા છે. શિસ્તની પાર્ટી ગણાતી ભાજપમાં છેલ્લાં કેટલાંક સમયથી શરૂ થયેલા આંતરિક ભડકામાં ભાજપમાં મોટું માથું ગણાતા એક નેતા સામે શિસ્તનો કોરડો વિંઝાઇ શકે તેવી શક્યતા છે.

ગુજરાત ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામા પ્રકરણમાં ગુજરાતના  ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પાસેથી ગૃહ ખાતાનો મહત્ત્વનો હવાલો છીનવી લેવામાં આવે તેવી રાજકારણમાં ચર્ચા ચાલી રહી છે.

નવજીવન ન્યૂઝના એક અહેવાલમાં સૂત્રોના અહેવાલોથી કહેવામાં આવ્યું છે કે ભાજપના દિગ્ગજ નેતા અને નાની વયે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી પદે પહોંચેલા હર્ષ સંઘવી પાસેથી ગૃહ ખાતાનો લઇ લેવામાં આવશે એ સિવાયના જે ખાતા છે તે યથાવત રાખવામાં આવશે. હષ સંઘવીના સ્થાન પર અમિત શાહના વિશ્વાસુ નેતાને સ્થાન મળી શકે છે.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો અને વધુ 5 વર્ષ સત્તા ભોગવવાની તક મળી હતી. પરંતુ એ પછી ગુજરાત ભાજપમાં આતંરિક યાદવા સ્થળી ઉભી થઇ છે. ગુજરાતમાં પત્રિકા કાંડમાં સી આર પાટીલ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતી પત્રિકાઓ ફરતી થઇ હતી અને તેની સામે સુરત ક્રાઇમ બ્રાન્ચે પગલાં પણ લીધા છે. એ પછી તે વખતના ભાજપના મહામંત્રી અને ગુજરાત ભાજપમાં મોટું માથું ગણાતા પ્રદિપસિંહ વાઘેલાનું અન્ય એક પત્રિકા કાંડમાં રાજીનામું લઇ લેવાયું હતું.

નવજીવન ન્યૂઝમાં સુત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે હર્ષ સંઘવી સામે જો હાઇકમાન્ડ આકરા પગલાં લેશે તો તેના માટે પ્રદિપસિંહ વાઘેલા પ્રકરણ કારણભૂત હશે. કારણકે પ્રદિપસિંહ વાઘેલા અને હર્ષ સંઘવી વચ્ચે નજીકના સંબંધો છે. જે રીતે SOGએ પત્રિકા કાંડમાં ભાજપના કાર્યકરોને જે રીતે ઉઠાવી લીધા હતા તે વાતથી હાઇકમાન્ડ નારાજ થયું છે.

રિપોર્ટ મુજબ હર્ષ સંઘવી પાસેથી ગૃહ ખાતું છીનવી લેવાશે અને તેને બદલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નજીકના ગણાતા જગદીશ વિશ્વકર્માને ગૃહ ખાતાની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

ગુજરાતમાં  મુખ્યમંત્રી તરીકેની  ઇનિંગની શરૂઆત કરનાર ભૂપેન્દ્ર પટેલની સરકાર આગામી દિવસોમાં શું નિર્ણય લેશે તે ખબર પડશે. પરંતુ આ સમાચાર ગુજરાતના રાજકારણમાં આગ લગાવશે એ વાત નક્કી છે. હર્ષ સંઘવી સુરતના છે અને મજૂરા વિધાનસભા વિસ્તારમાંથી તેઓ સતત ત્રીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને તેમને બીજી વખત ગૃહ રાજ્ય મંત્રી તરીકેનો  હવાલો સોંપવામાં આવ્યો છે.

એ વાત ચોક્કસ છે ભારતીય જનતા પાર્ટી યુવા નેતૃત્વને મહત્વ આપી રહ્યું છે અને એક નવી ભારતીય જનતા પાર્ટી ગુજરાત સમક્ષ ઉભી થઈ રહી છે. એવા સંજોગોમાં ક્યાંક યુવા નેતૃત્વમાં ઘ઼ડતરનો અભાવ રહી ગયો એવા સમીકરણો સામે આવી રહ્યા હોય તેવું જણાય રહ્યું છે. યુવા નેતૃત્વને એમના ઘડતર દરમિયાન ક્યાંક જો ચૂક થઇ ગઈ હોય તો તે સુધારવાની તક આપવામાં આવશે નહીં એવો ગર્ભિત સંદેશો ભાજપના સંગઠન તરફથી આપવામાં આવી રહ્યો હોય, તે જણાય રહ્યું છે. શું ભાજપના તેના યુવાધનનો ભોગ લેવાનું ચાલુ રાખશે?

નવજીવન ન્યૂઝના અહેવાલ પછી Guj Tak  વેબસાઇટે પણ હર્ષ સંઘવી સંબંધિત ન્યૂઝ પ્રસિદ્ધ કર્યા છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.