જિગ્નેશ મેવાણીએ જણાવ્યું- આમ આદમી પાર્ટીને ગુજરાતમાં કેટલી સીટ મળશે

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં વડગામથી અપક્ષ ચૂંટણી જીતનારા જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા અને આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં વડગામથી જ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં મેવાણીએ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કેટલી સીટ મળશે તેના વિશે વાત કરી છે.

એક ન્યૂઝ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં કોંગ્રેસ નેતા અને વડગામ બેઠકના ઉમેદવાર જિગ્નેશ મેવાણીને સવાલ પુછવામાં આવ્યો હતો કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે. એવામાં આમ આદમી પાર્ટીની ગુજરાતમાં કેટલી સંભાવના તમને દેખાઇ રહી છે? AAPનું ચૂંટણીમાં પ્રદર્શન કેવું રહેશે?  આ સવાલના જવાબમાં કોંગ્રેસના વર્કિંગ પ્રેસડિન્ટ જિગ્નેશ મેવાણીએ જવાબ આપ્યો હતો કે, આમ આદમી પાર્ટીને ગુજરાતમાં એક પણ સીટ મળશે નહીં. મેવાણીએ કહ્યું કે , હું પુરા હોશ સાથે અને તટસ્થ રહીને કહી રહ્યો છું. તમે મારી આ વિડિયો ક્લિપને સાચવીને રાખજો. આ વીડિયો ક્લિપ અને મારા નિવેદનના આધારે તમે મને આ ચૂંટણી પછી પ્રશ્નો પૂછજો. આ સમયે મારા મતે આ વાસ્તવિકતા છે. ગુજરાતમાં સુરત એકમાત્ર એવું સ્થળ છે જ્યાં આમ આદમી પાર્ટીની સ્થિતિ અન્ય પાર્ટીઓ કરતા સારી દેખાય છે. પરંતુ, મને શંકા છે કે તેમને સુરતમાં પણ કોઈ બેઠક મળશે કે કેમ. AAP સુરતમાં ચોક્કસ લડત આપશે, પરંતુ મને નથી લાગતું  કે કોઇ સીટ મેળવવામાં તેમને સફળતા મળી શકે.

જિગ્નેશ મેવાણીને એક સવાલ હાર્દિક પટેલ સાથે જોડાયેલો પણ પુછવામાં આવ્યો હતો. સવાલ એ પુછવામાં આવ્યો હતો કે વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી સાથે મળીને કસમ ખાતા હતા કે ગુજરાતમાંથી ભાજપને ઉખેડીને ફેંકી દઇશું. પરંતુ, 2022ની ચૂંટણીના કેટલાંક મહિનાઓ પહેલાં જ હાર્દિક પટેલે કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ પહેરી લીધો હતો. આની પાછળ જિગ્નેશ મેવાણીને કયું કારણ નજરે પડી રહ્યું છે?

જિગ્નેશ મેવાણીએ જવાબ આપતા કહ્યું હતું કે હું જે કહેવા જઇ રહ્યો છું તે વાત કદાચ હાર્દિકને પસંદ નહીં પડે, પરંતુ મારું માનવું છે કે, હાર્દિકની સામે જે 30થી 35 કેસો ચાલે છે, તેમાંથી બે-ત્રણ રાજદ્રોહ જેવા ગંભીર કેસો છે. એ કેસોને લઇને 12થી 15 વર્ષની સજાનો હાર્દિકને ડર હોય અથવા તેને ધમકાવવામાં આવ્યો હોય. હાર્દિકનું ભાજપમાં જોડાવવાનું મને આ કારણ લાગે છે.

મેવાણીને સવાલ પુછવામાં આવ્યો કે શું હાર્દિક પટેલ ફરી કોંગ્રેસમાં આવી શકે? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે હા પણ અને ના પણ. પરંતુ એક વાત નક્કી છે કે જિગ્નેશ મેવાણી ક્યારેય ભાજપ જોઇન નહીં કરે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.