આદિવાસી પંરપરાથી અજાણ ગુજરાતના મંત્રી ચરણામૃત સમજીને દેશી દારૂનો ઘૂંટડો પી ગયા

નર્મદા જિલ્લાના ડેડિયાપાડાથી ગુજરાતના એક મંત્રીની રમૂજી વાત સામે આવી છે. આદિવાસી દિવસની ઉજવણી કરવા ગયેલા મંત્રી આદિવાસી પરંપરાથી અજાણ હતા અને ધરતી માતા માટે ચઢાવવાનો દેશી દારૂ ચરણામૃત સમજીને પી ગયા હતા. જો કે, ભુલથી આ વાત બની હોવાનું તેમણે મીડિયા સમક્ષ સ્વીકાર્યું હતું. ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આદિવાસીઓ તેમની પરંપરા પાળવા માટે દેશી દારૂનો ઉપયોગ કરે છે.

આજે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ છે અને ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આદિવાસી દિવસની ઉજવણી માટે પહોંચ્યા હતા અને અહીં પુજા વિધી રાખવામાં આવી હતી. આદિવાસી સમાજમાં વર્ષોથી પરંપરા છે કે પૂજા વિધી પત્યા પછી ધરતી માતાને દેશી દારૂનો અભિષેક કરવાનો હોય છે. મંત્રી રાઘવજી પટેલને પૂજારીએ લીલા પાંડદામાં દેશી દારૂ મુકીને આપ્યો. રાઘવજી પટેલને આદિવાસી પરંપરા વિશે કોઇ જાણકારી નહોતી, એમણે પંચામૃત સમજીને દેશી દારૂને હાથમાં લીધો. આપણે જેમ પંચામૃત લીધા પછી માથે હાથ ફેરવીએ તેમ રાઘવજી પટેલે પણ માથે હાથ ફેરવી દીધો હતો.

પરંતુ એ પછી ખ્યાલ આવ્યો કે આ તો પંચામૃત નથી દેશી દારૂ છે. આ આખી ઘટનાનો વીડિયો ઉતરી ગયો હતો.

આદિવાસી દિવસની ઉજવણી પછી મીડિયા સાથે વાત કરતા કૃષી મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, અમારે ત્યાં ચરણામૃત હોય તેને હાથમાં આપવામાં આવે છે. આદિવાસીઓની પરંપરા વિશે મને બિલકુલ જાણકારી નહોતી એટલે પંચામૃત સમજીને દેશી દારૂનો ઘૂંટડો પિવાઇ ગયો. હકિકતમાં આદિવાસીઓ દેશી દારૂ ધરતી માતાને અર્પણ કરે છે.

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા પાછળનો આશય એવો હતો કે આદિવાસી તેમના પ્રશ્નોથી વાકેફ રહે અને તેમના ગૌરવ અને રક્ષણ જળવાઇ રહે. આદિવાસીઓના ઇતિહાસ પર એક નજર કરીએ તો આદિવાસી સ્વાતંત્રય સેનાની બિરસામુંડાએ બિહાર- ઝારખંડમાં અંગ્રેજો સામે લાંબો સંઘર્ષ કરીને આદિવાસી પ્રજાને ન્યાય અપાવ્યો હતો. લગાન માફ કરવા માટે પણ આદિવાસીઓએ અંગ્રેજો સામે લડત આપી હતી.

એ સિવાય ભાવનગરના રાજા હમીરજી ગોહિલને સોમનાથના પવિત્ર મંદિરને બચાવવા માટે વેગડા ભીલે મદદ કરીને શહીદી વહોરી હતી એવું ઇતિહાસમાં કહેવામાં આવ્યું છે. મહારાણા પ્રતાપને પણ આદિવાસી સમાજના મદદ મળી હતી. એવું પણ કહેવાય છે કે ભગવાન રામને લંકા વિજય દરમિયાન ગુજરાતના ડાંગમાં રાજાઓને રોકવામાં આદિવાસીઓનો મોટો ફાળો હતો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.