IITમા ભણતા અમદાવાદના દર્શન સોલંકીના પરિવારનો આરોપ, પુત્ર દલિત હતો એટલે......

IIT- મુંબઇના વિદ્યાર્થી દર્શન સોલંકીના મોતની પાછળ જાતિ ભેદભાવનો આરોપ જોર પકડી રહ્યો છે. મૃતક દર્શન સોલંકીના પરિવારે કહ્યું કે તેમનો પુત્ર દલિત હોવાને કારણે હેરાન કરવામાં આવતો હતો જે તેને આત્મહત્યા સુધી દોરી ગયો. 12 ફેબ્રુઆરીએ 18 વર્ષના દર્શન સોલંકીનું IIT- મુંબઇની હોસ્ટેલમાંથી પડી જવાને કારણે મોત થયું હતું. 3 મહિના પહેલાં જ દર્શને અહીં એડમિશન લીધું હતું. તે ગુજરાતના અમદાવાદનો રહેવાસી હતો.

પોલીસને કહેવા મુજબ દર્શન સોલંકી પાસેથી કે તેના રૂમમાંથી કોઇ સ્યુસાઇડ નોટ મળી નથી. પોલીસ આને આકસ્મિક મોતના એંગલથી જોઇ રહી હતી. પરંતુ વિદ્યાર્થી સાથે જાતિ ભેદભાવનો આરોપ લાગ્યા પછી હવે ‘સંસ્થાગત હત્યા’ તરીકે કહેવામાં આવે છે.

દર્શન સોલંકીના પરિવારનો આરોપ છે કે તેમના પુત્રએ આત્મહત્યા નથી કરી, બલ્કે એક સુનિયોજિત રીતે હત્યા કરવામાં આવી છે. પરિવારનું કહેવું છે પોતાની સાથે થયેલા ભેદભાવ વિશે દર્શન કોલેજમાં ફરિયાદ પણ કરી હતી.

દર્શનની બહેન જ્હાનવીએ  ઇન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે દર્શન અન્ય વિદ્યાર્થીઓથી પરેશાન હતો. શરૂઆતમાં બધું ઠીક ચાલતું હતું પરંતુ જેવી બાકીના વિદ્યાર્થીઓને ખપર પડી કે દર્શન દલિત સમાજમાંથી આવે છે એટલે તેનું ઉત્પીડન શરૂ થયું હતું. બહેન જ્હાનવીએ કહ્યું કે, દર્શન આત્મહત્યાનો વિચાર પણ કરે એવો નહોતો. તેણે અમદાવાદમાં ફરવા જવાનો પ્લાન પણ બનાવ્યો હતો.

દર્શનના પિતા રમેશ સોલંકીએ કહ્યું કે દર્શનના માથામાં એક ઇજા સિવાય બીજી કોઇ ઇજા થઇ નથી. દર્શન સાથે વાત કરનારો હું છેલ્લો વ્યકિત હતો અને તે એકદમ નોર્મલ હતો. દર્શને કહ્યું હતું કે હું ટુંક સમયમાં અમદાવાદ આવીશ. આ એક સુનિયોજીત હત્યા છે અને તેના પર ઢાકપિંછોડો કરવામાં આવી રહ્યો છે.

દર્શનની માતાએ કહ્યુ કે તે અમારો એકનો એક પુત્ર હતો. અમને નિષ્પક્ષ અને જ્લ્દી ન્યાય જોઇએ છે.જવાબદારો લોકોને સજા મળવી જોઇએ.

પરિવારે જણાવ્યું કે દર્શને એક વર્ષની તૈયારી બાદ B.Tech કોર્સમાં પ્રવેશ મેળવ્યો. તેમણે પુત્રને આશાસ્પદ વિદ્યાર્થી ગણાવ્યો હતો. તેને દસમા ધોરણમાં 83 ટકા માર્ક્સ મળ્યા હતા. પરિવારે એમ પણ કહ્યું કે દર્શન ક્યારેય આત્મહત્યા કરી શકે નહીં, બલ્કે તે એવા લોકોને ઠપકો આપતો હતો જેઓ આત્મહત્યા કરવાનું વિચારતા હતા.પરિવારના સભ્યો કહે છે કે તે ખૂબ મહત્વાકાંક્ષી હતો અને ચાર જણના પરિવારની એકમાત્ર આશા હતો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.