ગુજરાતમાં શાળાઓની મનમાની, સ્કૂલે નક્કી કરેલું સ્વેટર જ પહેરવું પડે છે સરકાર...

ગુજરાતમાં શાળાઓની મનમાની અને સરકારના આદેશોને ઘોળીને પી જવાની આદત નવી નથી. રાજ્યના શાળાઓ સરકારના કોઇ પણ આદેશને ગણકારતી નથી. હવે એવી વાત સામે આવી છે કે જે જાણીને તમને થશે કે શાળાઓ કોઇને ગાંઠતી કેમ નથી?

વાત એમ છે કે ગુજરાતમાં આ વખતે કડકડતી ઠંડી પડી રહી છે અને કેટલીક શાળાઓએ એવો આદેશ કર્યો છે કે બાળકોએ સ્કુલે આપેલા જ સ્વેટર પહેરીને શાળાએ આવવું પડશે. હવે સરકારે એવો આદેશ આપ્યો છે કે વિદ્યાર્થીઓ કોઇ પણ પ્રકારના ગરમ કપડાં પહેરીને શાળાએ જવાની છુટ આપી છે. પરંતુ નઘરોળ શાળા સંચાલકોએ સરકારના આદેશની ઐસી તૈસી કરી નાંખી છે અને પોતોની સ્કુલના સ્વેટર પહેરવા પર જ વાલીઓને મજબુર કર્યા છે.

આ વખતે શિયાળાની સિઝનમાં ઠંડીએ ગુજરાતને થથરાવી નાંખ્યું છે એવા સમયે ગુજરાત સરકારના પ્રવક્તાએ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી હતી કે શાળાના વિદ્યાર્થીઓ તેમની સુરક્ષા માટે કોઇ પણ પ્રકારના ગરમ કપડાં પહેરીને  શાળાએ જઇ શકે છે. પરંતુ કેટલીક સ્કુલોએ જાહેરાત કરી છે કે શાળા દ્રારા નક્કી કરાયેલું સ્વેટર જ પહેરવું પડશે. આ શાળાઓમાં ભાવનગર, સુરત, વડોદરાની શાળાઓએ વાલીઓને શાળાનું જ સ્વેટર પહેરવા હુકમ કર્યો છે. ભાવનગરની વિદ્યાધીશ હાઈસ્કૂલ, વડોદરાની નવરત્ન સ્કૂલ, સુરતની જ્ઞાન ભારતી સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ગોધરાની સંત આર્નોલ્ડ સ્કૂલ,સુરતની ભૂલકા ભવન સ્કૂલ આ બધી શાળાઓએ વાલીઓને સ્કુલ દ્રારા નિયત કરવામાં આવેલી સ્વેટર પહેરવું પડે છે.

સરકારના આદેશ છતા બાળકો પોતાના ઘરનું સ્વેટર પહેરીને આવી શકતા નથી. કેટલીક શાળાઓ તો બ્લેઝર કે પાતળું સ્વેટર પહેરીને આવવા માટે કહી રહી છે. કેટલીક શાળાઓ તો એવી છે કે જો બાળક બીજું સ્વેટર પહેરીને આવ્યું તો મેઇન ગેટ પર જ એ સ્વેટર કઢાવી મુકે છે અને વિદ્યાર્થીઓએ ઠંડીમાં વગર સ્વેટરે બેસવું પડે છે. કેટલાંક વાલીઓએ તો સ્વેટરની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠાવ્યા છે.

નવાઇની વાત એ છે કે જે શાળાઓ સ્કુલનું જ સ્વેટર પહેરવાનો આગ્રહ રાખે છે એ જ શાળાના આચાર્ય કે શિક્ષકો પોતે સાલ ઓઢીને સ્કુલમાં આવે છે અને જો મીડિયાના પત્રકારો સવાલ પુછે તો મોં સંતાડી દે છે. કેટલાંક વાલીઓએ એવો પણ આરોપ મુક્યો છે કે અમે વિરોધ કરીએ તો શાળા સંચાલકો દાદાગીરી કરે છે.

રાજકોટની જસાણી શાળામાં રિયા નામની વિદ્યાર્થીનીનું મોત થયું હતું. એ પછી શાળા સંચાલોકોની મનમાની સામે સવાલો ઉઠ્યા હતા. રિયાની માતાનો આરોપ હતો કે રિયાનું ઠંડીને કારણે લોહી થીજી થવાથી મોત થયું હતું.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.