દારૂનો નાશ કરવાને બદલે આ કામ કરો: લલિત વસોયાની સરકારને સલાહ

ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને સલાહ આપી છે કે ગુજરાતમાં જે દારૂ પકડવામાં આવે છે તેનો નાશ કરવાને બદલે આ કામ કરો તો ઘણાને ફાયદો થશે. જો કે, વસોયાએ સરકારને જે સલાહ આપી છે તેનો રાજકીય રીતે વિચારવાને બદલે જો ખરેખર અમલ કરવામાં આવે તો મોટો ફાયદો થઇ શકે છે.

ગુજરાતમાં દારૂબંધીનો અમલ છે છતા હજારો લીટર અને કરોડો રૂપિયાનો દારૂ પકડાઇ છે. આ પકડાયેલા દારૂને પોલીસ બુલડોઝર ફેરવીને નાશ કરી દે છે. તાજેતરમા જ રાજકોટ પોલીસે વર્ષ 2022-23 દરમિયાન 4.94 કરોડ રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવીને નાશ કરી દેવામાં આવ્યો.

રાજકોટ જિલ્લાના ધોરાજીના પુર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને વિનંતી કરી છે કે, લગભગ 200 કરોડનો દારૂ પોલીસ નાશ કરી નાંખે છે તેના બદલે બીજા રાજ્યોમાં આ દારૂની હરાજી કરીને વેચી દેવો જોઇએ અને તેમાંથી જે રકમ ઉભી થાય તે પોલીસ વેલફેર ફંડ કે સેનાના જવાનોના હિતમાં જમા કરાવી દેવા જોઇએ.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પત્રમાં લખ્યું છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે. કાયદાના પાલન માટે ગુજરાતમાં દરેક પાર્ટીની સરકાર કાયદાનું કડક પાલન થાય તેવા પ્રયાસ કરે છે. આમ છતા કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરની બોટલ પોલીસ પકડે છે. ગુજરાત વિધાનસભામાં સરકારે આપેલા આંકડા મુજબ વર્ષ 2020-21માં કુલ 215.62 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ અને 16.20 કરોડ રૂપિયાનો બિયર જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસ આ પકડાયેલા દારૂના જથ્થાને જપ્ત કરે છે અને તેનો બુલડોઝર ફેરવીને નાશ કરે છે. વસોયાએ પત્રમાં લખ્યું કે, આવા દારૂના જથ્થાને બીજા રાજ્યોમાં જાહેર હરાજીથી વેચાણ કરી જે રકમ મળે તે રકમ પોલીસ પરીવારના વેલ્ફેર ફંડમાં અથવા તો દેશની રક્ષા માટે શહીદ થતા જવાનોના પરીવારને મદદરૂપ થવા માટે વાપરવી જોઈએ. સરકાર જો આવો હિંમત ભર્યો નિર્ણય કરશે તો ગુજરાતની જનતા તેને વધાવશે.

લલિત વસોયા પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા હતા અને તે પછી કોંગ્રેસમાં જોડાયા હતા. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં લલિત વસોયા ચૂંટણી હારી ગયા હતા.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.