વાહવાહી માટે પહેલા પાણી રોક્યુ પછી છોડ્યું એટલે પૂર આવ્યા, ઇસુદાનનો BJP પર હુમલો

ગુજરાતમાં ભારે વરસાદને કારણે 5 જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને લોકોની હાલત દયાજનક બની છે. ઠેર ઠેર સ્થળાંતરના કામ ચાલી રહ્યા છે અને જનજવન ખોરવાઇ ગયું છે. આ દરમિયાન રાજકારણ પણ શરૂ થઇ ગયું છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ એક વીડિયો જારી કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે અને આરોપ પણ લગાવ્યા છે. ગઢવીએ કહ્યુ કે, પહેલાં વાહ વાહી લૂંટવા માટે નર્મદા ડેમમાં પાણી ભેગું કરી રાખ્યું. પછી ખબર પડી કે આ તો વધારે પાણી છે એટલે નર્મદા ડેમમાંથી પાણી છોડવા માંડ્યું જેને કારણે આજે ગુજરાતમાં પૂરની સ્થિતિ ઉભી થઇ છે.

આમ આદમી પાર્ટીના નેતા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ગઢવી હિંદી ભાષામાં બોલી રહ્યા છે.ઇસુદાને કહ્યું કે, પહેલા વાહવાહી લૂંટવા માટે સરકારે પાણી નર્મદા ડેમમાં એકઠું થવા દીધું અને પછી છોડ્યું એમાં રાજ્યમાં પૂર આવ્યું છે. ગઢવીએ કહ્યુ કે, લોકોના મનમાં હવે સવાલ આવી રહ્યો છે કે, આ કુદરતી આફત છે કે માનવ સર્જિત?

ઇસુદાને કહ્યુ કે, આમ આદમી પાર્ટીના કાર્યકરો લોકોની મદદે દરેક જિલ્લામાં પહોંચી ગયા છે. તેમણે કહ્યુ કે, મારે વહીવટી તંત્રને કહેવું છે કે, માત્ર સ્થળાંતર કરવું પુરતુ નથી., એ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવી એટલી જ જરૂરી છે.

ઇસુદાને કહ્યું કે ગુજરાતમાં એટલો વરસાદ પણ નથી પડ્યો કે પૂર આવી જાય. ભાજપના નેતાઓએ પણ બીજી વખત વાહી વાહી લૂંટતા પહેલાં એ જાણી લેવું જોઇએ કે આને કારણે લોકોને કેટલી મુશ્કેલી પડશે.

રાજકારણને સાઇડ પર રાખીએ તો એક વાત તો છે જ કે લોકોની હાલત ભારે કફોડી બની છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા કાંઠા વિસ્તારના 7 જિલ્લામાં પૂરના પાણી ફરી વળ્યા છે. નર્મદાના નજીકના વિસ્તારોમાં ખાસ કરીને અંકલેશ્વર, ભરૂચ, ચાણોદ સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે અને તે પણ 5થી 6 ફુટ જેટલા. નર્મદાની જળ સપાટી વધતા ગોલ્ડન બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. કેટલાંક વિસ્તારોમાં તો લોકોના ઘરમાં 10 ફુટ જેટલા પાણી ફરી વળ્યા છે અને NDRFની ટીમ સતત બચાવકાર્યમાં લાગેલી છે. અત્યાર સુધીમાં 100થી વધારે લોકોને રેસ્કયુ કરવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.