વાપીની શાહપેપર મિલમાં આઇટીના દરોડા, 350 કરોડની ટેક્સચોરીનો મામલો

આવકવેરા વિભાગે મંગળવારે 350 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીના કેસમાં ગુજરાતની એક પેપર મીલ પર મોટા પાયે દરોડા પાડ્યા છે. ગુજરાત- મુંબઇ સહિત 18 સ્થળોએ આવકવેરા અધિકારીઓની ટી ત્રાટકી છે. આવકવેરા વિભાગની મોટા એક્શનને કારણે ગુજરાતમાં ફફડાટ ફેલાઇ ગયો છે. 5 દિવસ પહેલાં આવકવેરા અધિકારી ની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હવે મંગળવારે વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગે રૂ. 350 કરોડની ટેક્સી ચોરીના આરોપમાં શાહ પેપર મિલના 18 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ટીમે 2.25 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે.

આવકવેરા વિભાગે મંગળવારે વાપી ઉદ્યોગ નગરમાં આવેલી શાહ પેપર મિલના યુનિટ સહિત મુંબઈની ઓફિસ અને સંચાલકોના રહેઠાણ સહિત કુલ 18 સ્થળોએ દરોડા પાડ્યા હતા. કંપની પર આ કંપનીએ 350 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરી હોવાનો આરોપ છે. દરોડા દરમિયાન આવકવેરા વિભાગની ટીમને 2 કરોડ રૂપિયા રોકડા અને 2 કરોડ રૂપિયાના ઘરેણાં મળી આવ્યા છે. કંપની પર છેલ્લા 6-7 વર્ષમાં નકલી ખોટ દર્શાવવાનો અને ટેક્સ ચોરી કરવાનો આરોપ છે.

આવકવેરા વિભાગે કહ્યું છે કે રોકડ, ઝવેરાત ઉપરાંત કેટલાંક દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે જેની ચકાસણી થયા પછી બેનામી આવકનો સાચો આંકડા બહાર આવશે. અગાઉ પણ આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. હકીકતમાં, નાણાકીય વર્ષ શરૂ થતાંની સાથે જ વાપીના ઉદ્યોગ નગરમાં આવેલી શાહ પેપરમિલમાં કેટલાક બેનામી વ્યવહારો થયાની શંકાના આધારે સુરત કમિશનરેટના નેજા હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો. 15થી વધુ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ માટે અગાઉથી તૈયારીઓ પણ કરી લેવામાં આવી હતી.

આ જૂથ વાપીમાં કુલ ત્રણ યુનિટ ધરાવે છે. જેમાં તાજેતરમાં એક યુનિટ બંધ કરવામાં આવ્યું છે. આ જૂથના બે યુનિટ અને સરીગામના ડાયરેક્ટર અને તેના બે સહયોગીઓના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કરચોરીના આરોપ બાદ શિક્ષણ જગતમાં પણ શાહ પેપર મિલની ચર્ચા શરૂ થઈ છે. કારણ કે આ 32 હજાર મેટ્રિક ટન કાગળની ખરીદી માટે રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં શાહ પેપર મીલનું નામ પણ છે. આગામી દિવસોમાં વધુ પેઢીઓ પણ પકડાય તેવી શક્યતા છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.