ભાવનગર પહોંચેલા કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે યુવરાજ સિંહ વિશે જાણો શું કહ્યું?

કોંગ્રેસ આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં ઠાકોરે કહ્યુ કે, યુવરાજ સિંહે ડમી કાંડ અને પેપર ફુટવાના કૌભાંડો બહાર પાડ્યા અને એ પછીનો જે એપિસોડ થયો છે કે તેમણે પૈસા લીધા, માંગણી કરી તો મારે સરકારને કહેવું છે કે તમે એક રૂમમાં બેસીને તપાસ શું કામ કરો છો? તપાસ કરતી વખતે ચાર-પાંચ મીડિયાને સાથે રાખો. ઠાકોરે કહ્યું કે, ગુજરાતમાં 27-27 પેપરો ફુટ્યા, પરંતુ સરકારે આજ સુધી કોઇ અસરકાર પગલા કે  કાયદાકીય કાર્યવાહી કરી નથી કે કોઇ ગુનો દાખલ કર્યો નથી. સરકારે એવા પગલાં લેવા જોઇએ જેથી વિદ્યાર્થીઓને સરકાર પર ભરોસો બેસે.

ભાવનગરમાં જયભારત સત્યાગ્રહનો કોંગ્રેસનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં ભાગ લેવા પહોંચેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે, ગુજરાતમાં એપ્રિલથી મે મહિના સુધીનો સંગઠનનો કાર્યક્રમ આપ્યો છે. 15 એપ્રિલથી 25 મે સુધીમાં 33 જિલ્લા અને 8 મહાનગરોમાં નાની મોટી રેલી અને જિલ્લા કારોબારી અને શહેર કારોબારીના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે, જેના ભાગરૂપે અમે આજે ભાવનગર આવ્યા છે.

ઠાકોરે આગળ કહ્યું કે, મે મહિનામાં કોંગ્રેસ પ્રજાની મુશ્કેલીઓ દુર કરવા માટે આંદોલની ભૂમિકા તૈયાર કરશે. એના માટે યુથ કોગ્રેસસ કિસાન મંચ, લીગલ સેલ, બધાને સંગઠનના જુદા જુદા કાર્યક્રમો આપીશું અને સરકાર સામે લડત ચલાવીશું.

જ્યારે મીડિયાએ ઠાકોરને ડમી કાંડ અને યુવરાજ સિંહ વિશે પુછ્યુ તો તેમણે કહ્યુ કે, ગુજરાતમાં ડમી કાંડનો મુદ્દો ઘણા સમયથી ચાલે છે અને આ મધ્ય પ્રદેશના વ્યાપમ ગોટાળાથી પણ મોટું કૌભાંડ ચાલે છે. ગુજરાતમાં પેપરો ફુટવાના બનાવો બનતા રહે છે અને 27-27 પેપરો ફુટવા છતા સરકારે કોઇ પણ અસરકાર પગલાં લીધા નથી.

જગદીશ ઠાકોરે કહ્યુ કે યુવરાજ સિંહ ડમી કાંડના કૌભાંડો બહાર લાવ્યા હતા અને હવે જે એપિસોડ બન્યો તેમાં એવું કહેવાય રહ્યું છે કે તેમણે પૈસા લીધા છે. તો મારે કહેવું છે કે તમે એક રૂમમાં બેસીને તપાસ કરવાને બદલે મીડિયાને સાથે રાખીને તપાસ કરો. તમે કહો છો કે કોઇને છોડીશું નહીં, તો સાથે બેરોજગાર યુવાનો હતાશ થયા છે તેની પણ વાત કરો ને. રાજ્યમાં 17 લાખ લોકોએ સરકારી નોકરીની પરીક્ષા માટે અરજી કરી હતી, તેમાંથી 40 ટકા લોકોએ જ પરીક્ષા આપી, 60 ટકા વિદ્યાર્થીઓને હવે ગુજરાત સરકાર પર ભરોસો રહ્યો નથી. આ 60 ટકા વિદ્યાર્થીઓ માટે કોંગ્રેસ આખા ગુજરાતમાં લડત ચલાવશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.