જો ગુજરાતમાં કોંગ્રેસ અને AAP એકસાથે લડશે તો ભાજપ ઘણી સીટો ગુમાવશે: સંજય સિંહ

વિપક્ષી પાર્ટીઓના I.N.D.I.A એલાયન્સની રચના વચ્ચે ગુજરાતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે અનેક મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા હતા. સંજય સિંહે કહ્યું કે જો ગુજરાતમાં કોંગ્રેસ અને AAP એકસાથે લડશે તો ભાજપ ઘણી સીટો ગુમાવશે.

ગુજરાતમાં સમીક્ષા બેઠક માટે આવેલા આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે બેઠક પત્યા પછી મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને વિપક્ષી ગઠબંધન INDIA સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે તો ભાજપ પોતાના જ ગઢમાં અનેક સીટ ગુમાવશે.

આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે ગુજરાતમાં કાર્ચકર્તા સંમેલનમાં કહ્યુ હતું કે ગઠબંધનના નેતાઓ જરૂરી નિર્ણય લેશે, પરંતુ AAP કાર્યકરોને ભાજપ સામે ચૂંટણી જીતવા માટે સખત મહેનત કરવી પડશે.

સંજય સિંહે આરોપ લગાવ્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ઉદ્યોગપતિ મિત્ર ગૌતમ અદામીને 2.5 લાખ કરોડ રૂપિયા આપવાની ઓફર કરી, પરંતુ ગુજરાતમાં યુવાનોને 50,000થી 1 લાખ રૂપિયા મહિને પગારવાળી નોકરી શોધવા માટે ફાંફા મારવા પડે છે. સંજય સિંહે અમદાવાદમાં નરોડા ખાતા આમ આદમી પાર્ટી કાર્યકરોને સંબોધન કર્યા પછી તેમની પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી.

સંજય સિંહે કહ્યું કે PM મોદીએ તેમના ઉદ્યોગપતિ મિત્રોની 13 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે. સિંહે કહ્યુ કે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ જ્યારે વિધાનસભામાં જવાબ માંગ્યો તો સરકારે કહ્યું હતું કે 10,000 સરકારી શાળાઓ બંધ થઇ ગઇ છે, 526 શાળાઓનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે અને શિક્ષકોની અછત છે.ગુજરાતમાં શિક્ષણની આવી સ્થિતિ છે.

સિંહે દાવો કર્યો હતો કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની જયારે ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે દિલ્હી સરકારે બનાવેલી શાળાની મુલાકાત લીધી હતા. સિંહે કહ્યું કે દેશની મોટાભાગની જમા રકમ હિંદુઓની છે. PM મોદી પોતાના ઉદ્યોગપતિ મિત્રો અને નિરવ મોદી મેહુલ ચોકસી જેવા લોકોને લાખો કરોડ રૂપિયાની લોન આપી દે છે, જે લોકો દેશ છોડીને ભાગી ગયા છે. સંજય સિંહે લોકોને અપીલ કરી હતી કે શાળા, રોજગાર અને આરોગ્યની દેખભાળ જેવા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપજો.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ પહેલાવીર ઝંપલાવ્યું હતું અને 5 જેટલી સીટો જીતી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.