ગુજરાતમાં અનેક જગ્યાએ જૈન સમાજની વિશાળ રેલી, હજારો લોકો જોડાયા, આ છે માગણી

ભાવનગ૨ નજીક જૈનોનાં આસ્થાનું કેન્દ્ર એવા શ્રી શત્રુંજય મહાતિર્થમાં કેટલાંક અસમાજીક તત્વો દ્વારા કરવામાં આવેલી કનડગત અને તોડફોડની ઘટનાથી જૈન સમાજ ક્રોધિત થયો છે.શત્રુંજય મહાતીર્થને બચાવવા ભારે વિરોધનો વંટોળ ઉભો થયો છે. 1લી જાન્યુઆરી નવા વર્ષના દિવસે જ જૈન સમાજે  અમદાવાદ, મુંબઇ, સુરત, દિલ્હી સહિત દેશભરમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૈન સમાજના હજારો લોકો જોડાયા હતા. રેલીમાં બેનરો સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં પાલિતાણાનાં શત્રુંજય પર્વત ઉપ૨ મૂક્વામાં આવેલા CCTV કેમેરામાં દેખાયુ હતું કે કેટલાકં અસમાજિક તત્વો તિર્થનું સંચાલન સંભાળી ૨હેલી શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીનું બોર્ડ તોડી રહ્યા છે. આ ઘટનાથી જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો છે અને આ ઘટના સામે ભારે વિરોધનો વંટોળ ઉઠ્યો છે.

શત્રુંજય મહાતીર્થ બચાવવા અને દબાણ દુર કરવા માટે અમદાવાદમાં પાલડીથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના હજારો લોકો રેલીમાં બેનરો સાથે જોડાયા હતા.જૈન સમાજના સંતો પણ રેલીમાં સહભાગી બન્યા હતા. એક અંદાજ મુજબ 3.કિ,મી કરતા વધારે લાંબી રેલીમાં 15,000થી વધારે લોકો રેલીમાં સામેલ હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હતી. અમદાવાદમાં કલેકટર ઓફિસ પાસે બનાવેલા સ્ટેજ પર જૈન મૂનિઓ બિરાજમાન છે અને હજારોની ભીડ રસ્તા પર સુત્રોચ્ચાર કરી રહી છે. વિરોધનો અવાજ વધારે બુલંદ થતો દેખાઇ રહ્યો છે.

જૈન સમાજના એક અગ્રણીએ કહ્યુ હતું કે, શત્રુંજય મહાતીર્થની રક્ષા માટે મહારેલીનું આયોજન અમદાવાદ, સુરત, મુંબઇ, દિલ્હી સહિત દેશભરમાં આયોજન કરવામાં આવ્યું છે. પર્વત પર ગેરકાયદે દબાણો અટકાવવાની જૈન સમાજની માંગ છે.

જૈન સમાજે જે માગણીઓ કરી છે તેમાં રોહિશાળામાં પ્રભુની ચરણ પાદુકાની તોડફોડની તપાસ કરવામાં આવે, ગેરકાયદે માઇનીંગ બંધ કરવામાં આવે, માથા ભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આને, ગિરિરાજ પર કરવામાં આવેલા ગેરકાયદે દબાણો દુર કરવામાં આવે.

પાલિતાણાએ જૈનોનું પવિત્ર સ્થળ માનવામાં આવે છે અને દર વર્ષે બે વખત દેશ- વિદેશથી મોટા ગ્રુપમાં તીર્થયાર્ત્રીએ આવે છે. હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ શત્રુંજય પર્વત પર બિરાજમાન જૈન મંદિરના દર્શન માટે આવે છે. શત્રુંજય ગિરિરાજ પર કુલ 11,094 પ્રભુની પ્રતિમા બિરાજમાન છે.1900 ફુટની ઉંચાઇ ધરાવતા આ પર્વત પર 3745 પગથિયા ચઢવા પડે છે.

About The Author

Related Posts

Top News

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.