શંકરસિંહ બાપુ અને PM મોદી વચ્ચે એરપોર્ટ પર લાંબી બેઠક, વાઘેલા ભાજપમાં પાછા આવશે?

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ તરફથી વિરોધ પક્ષના નેતા રહી ચૂકેલા અને રાજકારણમાં બાપુ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે એરપોર્ટ પર મુલાકાત કરતા ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. રાજકારણના ધૂંરધર બંને નેતાઓની મુલાકાતે અટકળોને વેગ આપ્યો છે કે વાઘેલા ફરી ઘર વાપસી કરી શકે છે. મતલબ કે શંકરસિંહ વાઘેલા ફરી ભાજપમાં આવી શકે છે. જો કે બંને બાહુબલી નેતાઓ વચ્ચે શું ચર્ચા થઇ છે તે વિશે જાણવા મળ્યું નથી. શંકરસિંહે PM મોદીને ગિફટ પણ આપી હતી.

બુધવારે ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની મુલાકાત થઇ રહી હતી અને બંને નેતાઓએ લગભગ 50 મિનિટ સુધી ચર્ચા કરી હતી. શંકરસિંહ વાઘેલાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા સ્વ. હીરાબાની સાથેનો ગોલ્ડ ફ્રેમ ફોટો ભેટમાં આપ્યો હતો. એરપોર્ટ પર બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઇ છે તે બહાર નથી આવી હતી, પરંતુ રાજકારણમાં એવી અટકળો શરૂ થઇ છે કે શંકરસિંહ વાઘેલા ભાજપમાં ઘર વાપસી કરે તો આશ્ચર્ય નહીં લાગશે.

1995માં ભાજપ ગુજરાતમાં 121 સીટો પર જીતી ગયું અને મોદીએ વાઘેલાને હઠાવીને કેશુભાઈને મુખ્યમંત્રી બનાવી દીધા. કેશુભાઈની સરકારના 47 ધારાસભ્યોને લઈને શંકરસિંહ વાઘેલા મધ્ય પ્રદેશના ખજૂરાહો જતા રહ્યા અને સરકાર સામે બળવો પોકારી દીધો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે શંકરસિંહ વાઘેલા તેમના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલા સાથે એરપોર્ટ પર પહોંચ્યા હતા. રાજકારણના જાણકારોનું કહેવું છે કે શંકરસિંહ વાઘેલાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની બેઠક સૂચક છે. 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા શંકરસિંહ બાપુ ભાજપમાં પાછા આવી શકે છે અને આવું કરવું વાઘેલા માટે કોઇ નવી વાત નથી. એમણે અનેક વખતે પક્ષપલટાં કર્યા છે.

શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલા 2017માં ભાજપ સાથે જોડાયા હતા તે પછી 2022માં કોંગ્રેસમાં જોડાયા હતા અને ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણી હારી ગયા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની બેઠક પછી શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, જૂના મિત્રની સાથે મુલાકાત થઇ અને ઘણી જૂની યાદો તાજી થઇ. વાઘેલાએ કહ્યું કે મારા પૌત્રના વિવાહ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું અને સાથે તેમની માતા હીરાબાનો સોનાની ફ્રેમ વાળો ફોટો ભેટમાં આપ્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં સામેલ થવા માંગતા હતા, પરંતુ કોંગ્રેસ હાઇકમાન્ડ રાજી થયું નહોતું. શંકરસિંહ બાપુ હજુ રાજકારણમાંથી નિવૃત થયા નથી એટલે જાણકારો માની રહ્યા છે કે બાપુ ભાજપમાં પાછા આવી શકે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.