હિંસા કેસમાં સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને મોટા રાહતના સમાચાર આપ્યા

ગુજરાત ભાજપના નેતા અને વિસનગરના ધારાસભ્ય હાર્દિક પટેલને વર્ષ 2015માં ગુજરાતમાં પાટીદાર આંદોલન વખતે થયેલી હિંસા, તોફાનો અને આગચંપીના ઘટનામાં સુપ્રીમ કોર્ટે રાહત આપી છે અને હાર્દિકના રેગ્યુલર જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. હાર્દિકને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાની રાહત મળી છે.

આજથી 8 વર્ષ પહેલા હાર્દિક પટેલને ગુજરાતમાં પણ ભાગ્યે જ કોઇક ઓળખતું હતું, પરંતુ હાર્દિક પટેલે વર્ષ 2015માં યુવાન વયે પાટીદાર અનામત આંદોલન શરૂ કર્યુ હતું અને તેને કારણે આખુ ગુજરાત હચમચી ગયું હતું એ પછી હાર્દિકને ગુજરાત સહિત આખા દેશના લોકોની નજર પડી. પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યોએ સરકાર સામે લાંબી લડત આપી હતી અને વર્ષ 2015માં અમદાવાદની એક સભામાં આગ ચંપી અને તોડફોડની ઘટના બની હતી. આ પછી હાર્દિક પટેલે અનેક વખત કોર્ટ કેસનો સામનો કરવો પડ્યો.

ગુજરાતમાં જ્યારે પાટીદાર અનામત આંદોલન વખતે હિંસા ફાટી નિકળી હતી તેમાં સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020માં હાર્દિક પટેલને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું. તે વખતે હાર્દિક પટેલ કોંગ્રેસના નેતા હતા. હાર્દિક પટેલે વર્ષ 2015માં આજ કેસમાં તેમના આગોતરા નામંજૂર કરવાના ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

શરૂઆતમાં તો મહેસાણાની નીચલી અદાલતે હાર્દિક પટેલને દોષિટ ઠેરવીને 2 વર્ષની સજા સંભળાવી હતી. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી વખતે હાર્દિકે આ સજા સામે હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાર્દિકે પોતાની સજાને સ્થગિત કરવા માટે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. જો કે હાઇકોર્ટે આ અરજી ફગાવી દેતા હાર્દિકે સુપ્રીમનો રૂખ કર્યો હતો.

જો કે તે સમયે સુપ્રીમ કોર્ટે આ  અરજી તરત સાંભળવાનો ઇન્કાર કરી દીધો હતો. તે વખતે હાર્દિક પટેલે અપીલ કરી હતી કે તેની સજા પાછી ખેંચી લેવામાં આવે જે તે 2019ની લોકસભાની ચૂંટણી લડી શકે. એ પછી સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રમખાણોની અપીલ પર ચુકાદો ન આવે ત્યાં સુધી હાર્દિક પટેલની સજા પર રોક લગાવી હતી.

હાર્દિક પટેલે 2015માં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૂ કર્યું તેના ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને તે વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ખુરશી છોડવી પડી હતી અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને જવાબદારી સોંપવામાં આવી હતી. આંદોલન દરમિયાન હાર્દિકે કોંગ્રેસ પાર્ટી જોઇને કરી હતી, પરંતુ  એ પછી ભાજપનો ખેસ પહેરી લીધો હતો અને ગુજરાત વિધાનસભા 2022માં ભાજપે વિસનગરથી હાર્દિક પટેલની ટિકીટ આપી હતી અને તેમણે જીત મેળવી હતી.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.