માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને લાગ્યો મોટો ઝટકો, HCમાં પણ ન મળી રાહત, અરજી ફગાવી

મોદી સરનેમને લઈને રાહુલ ગાંધી વિરુદ્ધના માનહાનિના કેસમાં હાઇ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. કોર્ટે સજા પર રોક માટે રાહુલ ગાંધી તરફથી દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ હેમંત પ્રચ્છકે સુરત કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. જેમાં તેમને 2 વર્ષની સજા સંભળાવવામાં આવો હતી. રાહુલ ગાંધી પર હાઇ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેમની સંસદ સભ્યતા હજુ રદ્દ જ રહેશે. જો કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પાસે સુપ્રીમ કોર્ટ જવાનો વિકલ્પ ખુલ્લો છે.

હાઇ કોર્ટમાં ફરિયાદકર્તા પૂર્ણેશ મોદી તરફથી વરિષ્ઠ વકીલ નિરુપમ નાનાવટીએ દલીલો રાખી હતી, તો રાહુલ ગાંધી તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંધાવી ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ 2 જૂનના રોજ હાઇ કોર્ટે રાહુલ ગાંધીને મધ્યસ્થ રાહત આપતા નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. મોદી સરનેમને લઈને વિવાદિત ટિપ્પણીને લઈને દાખલ કરવામાં આવેલા ગુનાહિત માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટ દ્વારા 23 માર્ચના રોજ દોષી કરાર આપવામાં આવ્યો હતો.

ઇન્ડિયન પિનલ કોડ (IPC)ની કલમ 499 અને 500 (ગુનાહિત માનહાનિ) હેઠળ દોષી ઠેરવતા 2 વર્ષ જેલની સજા સંભળાવી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીની સંસદ સભ્યતા રદ્દ કરી દેવામાં આવી હતી. રાહુલ ગાંધી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં વાયનાડથી સાંસદ બન્યા હતા. જે વિવાદિત નિવેદનને લઈને રાહુલ ગાંધી પર કેસ થયો હતો તે તેમણે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકની એક રેલીમાં આપ્યું હતું. તેમણે લલીત મોદી, નીરવ મોદી જેવા ભાગેડુઓનું નામ લેતા પૂછ્યું હતું કે બધા ચોરોનું સરનેમ મોદી કેમ છે? ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેને આખા સમુદાયનું અપમાન બતાવતા સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

હાઇ કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવતા શું કહ્યું?

હાઇ કોર્ટના જજ જસ્ટિસ હેમંત પ્રચ્છકની બેન્ચે અરજી ફગાવતા કહ્યું કે, રાહુલ ગાંધી એકદમ અસ્તિત્વહીન આધાર પર રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નીચલી કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી સજા પર રોક લગાવવાનો કોઈ નિયમ નથી, પરંતુ એક અપવાદ છે જેનો સહારો દુર્લભ કેસોમાં લેવો જોઈએ.

અરજીકર્તા વિરુદ્ધ લગભગ 10 ગુનાહિત કેસ પેન્ડિંગ છે.

અહીં સુધી કે આ ફરિયાદ બાદ રાહુલ ગાંધી વિરુદ્ધ વધુ એક ફરિયાદ વીર સાવરકરના પૌત્રએ નોંધાવી.

સજા પર રોક ન લગાવવી રાહુલ ગાંધી સાથે અન્યાય નહીં હોય.

દોષસિદ્ધિ પર રોક લાગવાનો કોઈ ઉચિત આધાર આપવામાં આવ્યો નથી.

સેશન કોર્ટનો આદેશ ન્યાયસંગત અને ઉચિત છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.