24 કલાકમાં ચોમાસું બેસી જશે, ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે: અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં ચોમાસું બેસી જશે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. તેમણે કહ્યું છે કે,ગુજરાતાં 26 તારીખ સુધીમાં વરસાદ ધબધબાટી બોલાવશે અને સાબરમતી અને નર્મદા નદી બે કાંઠે વહેતી થશે. આ સમાચાર ગુજરાતના લોકોને રાહત આપનારા છે.

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે, જુદા જુદા વિસ્તારોમાં વીજળની કડાકા સાથે વરસાદ પડશે. ઇન્દ્રરાજા, ઐરાવત સહિત મેઘનો પ્રસવ કરશે. એક બે દિવસમાં વીજળીના કડાકા જોવા મળશે. તેમણે કહ્યું કે, રાજસ્થાન, મહારાષ્ટ્ર, વિદર્ભ, પળભરી, નાંદેડ, નાગપુર, વર્ધા, દક્ષિણ ભારત, મુંબઇના કેટલાંક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં 25 તારીખ એટલે કે આવતીકાલથી ચોમાસું બેસશે, જો કે તેમણે કહ્યું કે, હવામાન વિભાગ તેના નિયમ મુજબ ચોમાસાની જે તારીખ આપે તે જ સાચી ગણવી. તેમણે કહ્યું કે ગુજરાતમાં 26 તારીખ સુધીમાં વરસાદ ધબધબાટી બોલાવશે. સાબરમતી નદી, ઉદયપુરના વિભાગમાં નદી બે કાંઠે વહેતી જોવા મળશે.

પટેલે કહ્યું કે, આજે સાંજ સુધીમાં મધ્ય- ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, ચોટીલા,ધોળકા, ધંધૂકા,બોટાદ, ભાવનગર, વલ્લભીપુર, વિરમગામ, સુરેન્દ્રનગર, હળવદ, બેચરાજી, મહેસાણાના કેટલાંક ભાગોમાં વરસાદ પડશે.25થી 30 જૂન સુધી વરસાદ પડશે, પણ 2 જૂલાઇ સુધી પણ પડી શકે છે.અંબાલાલ પટેલે કહ્યું કે, ખેડુતો તેમના જાનમાલનું રક્ષણ કરે.

જાણવા મળેલી માહિતી મુજબ મુંબઇમાં શનિવારે ચોમાસાએ દસ્તક દીધી છે. ત્યારે ગુજરાતાં પણ ચોમાસા મે સારા સમાચાર સામે આવી રહ્યા છે. શનિવારે વહેલી સવારથી જ મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે. એવા સમયે અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી 24 કલાકમાં ચોમાસું બેસી જશે એવી આગાહી કરવાને કારણે ખેડુતોના ચહેરા પર ખુશી આવી ગઇ છે.

આજે વહેલી સવારથી જ પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા અને દાહોદ જિલ્લામાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદથી ઠેક ઠેકાણેપાણી ભરાયા છે. ગુજરાતના 50 તાલુકામાંવરસાદ નોંધાયો છે. જેમાંગોધરા, વડોદરાના દેસર, આણંદ, પંચમહાલના કાલોલ, ઉમરેઠરે, હાલોલ, ઠાસરા, સાવલી, ધોધંબા, ગળતેશ્વર, ધાનપુર, દેવગઢબારીયા, પેટલાદ, વડોદરા, પાદરા, બોરસદ,ડભોઈ, ગરબાડા અને નડિયાદ સહિતના તાલુકાનો સમાવેશ થાય છે. સૌથી વધારે 4 રે ઈંચ વરસાદ ગોધરામાંપડ્યો છે. વડોદરાના દેસરમાંપણ ત્રણ ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.