24 કલાકમાં ચોમાસું બેસી જશે, ગુજરાતમાં વરસાદ ધબધબાટી બોલાવશે: અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં ચોમાસું બેસી જશે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. તેમણે કહ્યું છે કે,ગુજરાતાં 26 તારીખ સુધીમાં વરસાદ ધબધબાટી બોલાવશે અને સાબરમતી અને નર્મદા નદી બે કાંઠે વહેતી થશે. આ સમાચાર ગુજરાતના લોકોને રાહત આપનારા છે.

હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે, જુદા જુદા વિસ્તારોમાં વીજળની કડાકા સાથે વરસાદ પડશે. ઇન્દ્રરાજા, ઐરાવત સહિત મેઘનો પ્રસવ કરશે. એક બે દિવસમાં વીજળીના કડાકા જોવા મળશે. તેમણે કહ્યું કે, રાજસ્થાન, મહારાષ્ટ્ર, વિદર્ભ, પળભરી, નાંદેડ, નાગપુર, વર્ધા, દક્ષિણ ભારત, મુંબઇના કેટલાંક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં 25 તારીખ એટલે કે આવતીકાલથી ચોમાસું બેસશે, જો કે તેમણે કહ્યું કે, હવામાન વિભાગ તેના નિયમ મુજબ ચોમાસાની જે તારીખ આપે તે જ સાચી ગણવી. તેમણે કહ્યું કે ગુજરાતમાં 26 તારીખ સુધીમાં વરસાદ ધબધબાટી બોલાવશે. સાબરમતી નદી, ઉદયપુરના વિભાગમાં નદી બે કાંઠે વહેતી જોવા મળશે.

પટેલે કહ્યું કે, આજે સાંજ સુધીમાં મધ્ય- ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, ચોટીલા,ધોળકા, ધંધૂકા,બોટાદ, ભાવનગર, વલ્લભીપુર, વિરમગામ, સુરેન્દ્રનગર, હળવદ, બેચરાજી, મહેસાણાના કેટલાંક ભાગોમાં વરસાદ પડશે.25થી 30 જૂન સુધી વરસાદ પડશે, પણ 2 જૂલાઇ સુધી પણ પડી શકે છે.અંબાલાલ પટેલે કહ્યું કે, ખેડુતો તેમના જાનમાલનું રક્ષણ કરે.

જાણવા મળેલી માહિતી મુજબ મુંબઇમાં શનિવારે ચોમાસાએ દસ્તક દીધી છે. ત્યારે ગુજરાતાં પણ ચોમાસા મે સારા સમાચાર સામે આવી રહ્યા છે. શનિવારે વહેલી સવારથી જ મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે. એવા સમયે અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી 24 કલાકમાં ચોમાસું બેસી જશે એવી આગાહી કરવાને કારણે ખેડુતોના ચહેરા પર ખુશી આવી ગઇ છે.

આજે વહેલી સવારથી જ પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા અને દાહોદ જિલ્લામાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદથી ઠેક ઠેકાણેપાણી ભરાયા છે. ગુજરાતના 50 તાલુકામાંવરસાદ નોંધાયો છે. જેમાંગોધરા, વડોદરાના દેસર, આણંદ, પંચમહાલના કાલોલ, ઉમરેઠરે, હાલોલ, ઠાસરા, સાવલી, ધોધંબા, ગળતેશ્વર, ધાનપુર, દેવગઢબારીયા, પેટલાદ, વડોદરા, પાદરા, બોરસદ,ડભોઈ, ગરબાડા અને નડિયાદ સહિતના તાલુકાનો સમાવેશ થાય છે. સૌથી વધારે 4 રે ઈંચ વરસાદ ગોધરામાંપડ્યો છે. વડોદરાના દેસરમાંપણ ત્રણ ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે.

About The Author

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.