આખરે જયસુખ 'ઝડપાયો', મોરબી કાંડમાં ઓરેવાના માલિકે કોર્ટમાં સરેડંર કરવું પડ્યું

ગુજરાત સહિત આખા ભારત અને વિશ્વને હમચાવી નાખનારા મોરબી બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં સૌથી મોટા કથિત આરોપી જયસુખ પટેલ ઘટના બાદ ફરાર હતો. મોરબી પુલ તૂટવાની ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 56 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં બ્રિજનું સંચાલન કરતી કંપની ઓરેવાના માલિક જયસુખ પટેલે અંતે આજે કોર્ટમાં સરેન્ડર કરી દીધું છે. આ કેસમાં ચાર્જશીટ સાથે વોરન્ટ ઇશ્યૂ થતા જયસુખ પટેલ પાસે અન્ય કોઇ વિકલ્પ બચ્યો નહોતો. તેણે MD જયસુખ પટેલે મોરબી સેશન્સ કોર્ટમાં સરેન્ડર કર્યુ છે.

રિપોર્ટ્સ મુજબ, સાંજે 5 વાગ્યાની આસપાસ કોર્ટ તેમની ધરપકડ માટેનો વોરન્ટ ઇશ્યૂ કરી શકે છે. 4 દિવસ અગાઉ એટલે કે 27 જાન્યુઆરીના રોજ મોરબીની સેશન્સ કોર્ટમાં પોલીસ દ્વારા 1,200 પાનાંની ચાર્જશીટ  રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ થઇ ચૂકી છે. મોરબી ઝૂલતા પુલ અકસ્માત કેસમાં ઓરેવા કંપનીના MD જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં આરોપી તરીકે ઉમેરવામાં આવ્યું છે.  જયસુખ પટેલે આ બાબતે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. જેની સુનવણી 1 ફેબ્રુઆરી 2023ના રોજ થવાની હતી, પરંતુ તે અગાઉ જ તેણે સરેન્ડર કરી દીધુ છે.

અગાઉ આ દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલ સામે કોર્ટ દ્વારા ધરપકડ વોરન્ટ ઇશ્યૂ કરવામાં આવ્યો હતો. 1 ફેબ્રુઆરીના રોજ તેની આગોતરા જામીન અરજી મંજુર કરાય છે કે પછી તે પૂર્વે જ તેમની ધરપકડ કરવામાં આવે છે તે હજું નક્કી નથી. આજે આગોતરા જામીન અરજી પર મોરબીની સેસન્સ કોર્ટમાં સુનાવણી હતી. આ સુનવણીમાં પોલીસ દ્વારા સમય માગવામાં આવતા તેને ધ્યાને લઇ કોર્ટે આગામી સુનવણી 1 ફેબ્રુઆરી પર રાખી છે.

મોરબી ઝૂલતા પુલના મેન્ટેનન્સ અને મેનેજમેન્ટની જવાબદારી ઓરેવા ગ્રુપને આપવામાં આવી હતી અને ઝૂલતો પુલનું રીનોવેશન કર્યા આવ્યા બાદ પાંચ દિવસમાં જ ઝૂલતો પુલ તૂટી ગયો હતો. જેમાં 135 લોકોના મોત થયા હતા. પુલ પર વધારે સંખ્યામાં ઝૂલતા પુલ પર પહોંચ્યા તો, ત્યાં ભીડ નિયંત્રણની કોઈ વ્યવસ્થા નહોતી, પુલ પર વધારે ભીડ હોવા છતા ક્ષમતાથી વધારે ટિકિટ વેચી દેવામાં આવી. ત્યારે આ પુલ અકસ્માતનો શિકાર થઈ ગયો. આ ઘટના અંગે મૃતકોના પરિવારો દ્વારા ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી. જો કે, ઝૂલતા પુલ અકસ્માતની બાબતે થયેલી ફરિયાદમાં તેનું નામ આરોપી તરીકે મુકવામાં આવ્યું નહોતું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.