મોરબી નગરપાલિકાએ SIT દ્વારા જપ્ત દસ્તાવેજો પરત કરવાની કરી માંગ, જાણો કારણ

SIT દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજો તેમને પરત કરવા મોરબી નગરપાલિકાએ સરકારને અપીલ કરી છે. નગરપાલિકાએ કહ્યું છે કે, તેમને સરકારની કારણદર્શક નોટિસનો જવાબ આપવા માટે SIT દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજોની જરૂર છે. જણાવી દઈએ કે, મોરબી નગરપાલિકાને કારણ બતાવો નોટિસ બહાર પાડતી વખતે ગુજરાત સરકારે પૂછ્યું છે કે, દુર્ઘટનાને કારણે તેની ફરજ પૂરી ન કરવા બદલ મોરબી નગરપાલિકાનું વિસર્જન કેમ ન કરવું જોઈએ? પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ દસ્તાવેજો સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા SIT પાસે છે અને મોરબી પાલિકા પાસે એક પણ દસ્તાવેજ નથી.

ગુજરાત સરકારે ગયા અઠવાડિયે મોરબી નગરપાલિકાને કારણદર્શક નોટિસ પાઠવી છે અને 25 જાન્યુઆરી સુધીમાં લેખિત જવાબ માંગ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ ધરાશાયી થયો હતો, જેમાં 135 લોકોના મોત થયા હતા. આ બ્રિજ બ્રિટિશ કાળ દરમિયાન બનાવવામાં આવ્યો હતો અને પાલિકા સાથેના કરાર હેઠળ ઓરેવા ગ્રુપ તેની જાળવણી અને સંચાલન કરી રહ્યું હતું. મોરબી નગરપાલિકાના 52 સભ્યોએ સોમવારે એક બેઠક યોજી હતી અને સરકારને SIT દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજો તેમને પરત કરવા માંગણી કરતો ઠરાવ પસાર કર્યો હતો, જેથી તેઓ સરકારની કારણદર્શક નોટિસનો જવાબ આપી શકે.

સરકાર દ્વારા મોકલવામાં આવેલી કારણ બતાવો નોટિસમાં શહેરી વિકાસ વિભાગે કહ્યું છે કે, બ્રિજનું સંચાલન કરવા માટેનો કોન્ટ્રાક્ટ 2017માં જ સમાપ્ત થઈ ગયો હતો. આ પછી 2018-2020 વચ્ચે ઓરેવા ગ્રુપ દ્વારા બ્રિજની ખરાબ હાલત અંગે મોરબી નગરપાલિકાને અનેક પત્રો લખ્યા હતા અને પુલ પર કોઈ મોટી દુર્ઘટના થઈ શકે તેવી આશંકા પણ વ્યક્ત કરી હતી. તેમ છતાં પાલિકાએ કોઈ પગલું ભર્યું ન હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે મોરબી બ્રિજ અકસ્માત કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરી છે. PILમાં સરકારે મોરબી નગરપાલિકાને વિખેરી નાંખવાની વાત કરી છે. આ કેસમાં પોલીસે ઓરેવા ગ્રુપના 4 કર્મચારીઓની ધરપકડ કરી છે. તેમાંથી બે કંપની મેનેજર છે અને બે ટિકિટ ક્લાર્ક છે. ગુજરાત કોર્ટે ગયા અઠવાડિયે ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલ સામે પણ વોરંટ બહાર પાડ્યું છે. FIRમાં આરોપી તરીકે જયસુખ પટેલનું નામ પણ નોંધાયેલું છે. જયસુખ પટેલે મોરબીની સેશન્સ કોર્ટમાં 20 જાન્યુઆરીએ આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.