પાલિકા કમિશ્નર, કલેક્ટર સહિતના મોટા મોટા અધિકારીઓએ TRP ઝોનનો લ્હાવો માણ્યો છે

On

રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં 32 લોકોના જીવતા ભૂંજાઇ ગયા છે અને હવે આ ઘટનામાં અનેક વાતો બહાર આવી રહી છે. પાલિકા કમિશ્નર, પૂર્વ કલેક્ટર, SP સહિતના મોટા મોટા અધિકારીઓ આ ગેમ ઝોનનો લ્હાવો માણી ચૂક્યા છે.

દિવ્ય ભાસ્કરના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ખુલ્લા પાર્ટી પ્લોટમાં 3 માળનો ગેમિંગ ઝોન મંજૂરી વગર ઉભો કરી દેવામાં આવ્યો હતો. આ ગેમ ઝોનમાં અધિકારીઓએ મુલાકાત લીધી હોય તેવી 2 વર્ષ જૂની તસ્વીર સામે આવી છે. જેમાં રાજકોટના તત્કાલિન કલેક્ટર અરૂણ મહેશ બાબુ, તત્કાલીન SP બલરામ મીણા, રાજકોટ પાલિકા કમિશ્નર અમિત અરોરા, DCP ઝોન-1 પ્રવીણ મીણા સહિતના અધિકારીઓએ TRP ગેમ ઝોનની મજા માણી હતી. ગેમ ઝોનના સંચાલકોએ અધિકારીઓનું ઉષ્માભેર સ્વાગત પણ કર્યું હતું.

આ તસ્વીર જોઇને લોકોના મનમાં સવાલ છે કે શું આ જવાબદાર અધિકારીઓના મનમાં સવાલ ન આવ્યો કે આ ગેમ ઝોનને મંજૂરી મળી છે કે નહીં તે તપાસી લઇએ.જ્યારે તત્કાલીન કલેકટર અરૂણ મહેશ બાબુને સવાલ પુછવામાં આવ્યો તો તેમણે કહ્યુ કે,DCP એ બોલાવ્યા હતા એટલે એક પેરન્ટસ તરીકે ગયા હતા. મંજૂરી આપવામાં કલેક્ટર વિભાગનો કોઇ રોલ હોતો નથી. અમારે TRP સાથે કોઇ લેવા-દેવા નથી.

તત્કાલીન SP બલરામ મીણાએ કહ્યું હતું કે, તમે કોઇ હોટલમાં જાવ તો બધી વસ્તુ ચેક કરો છો? કોઇ પ્રસંગમાં ગયા હોય તો કોઇ બધી પુછપરછ થોડી કરે. પોલીસ અધિકારી તરીકે અનેક લોકોને મળવાનું થતું હોય છે.

ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ ગર્વનર વજુભાઇ વાળાએ કહ્યું હતું કે, મંજૂરી આપવાની જવાબદારી રાજકોટ પાલિકાની છે અને પાલિકાએ સજાગતા રાખી નથી. વાળાએ કહ્યુ કે તંત્રની મીઠી નજરને કારણે આવા ગેરકાયદે ગેમ ઝોન ચાલતા હોય છે.

2 વર્ષ પહેલાંની તસ્વીરમાં પાલિકા કમિશ્નર અમિત અરોરા ગેમ ઝોનની મુલાકાત લઇ ચૂક્યા છે તો તેમણે તપાસ ન કરી કે મંજૂરી છે કે નહીં?

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati