શું રાજકોટ મહાનગરપાલિકા જાહેરમાં કચરો ફેંકનાર સામે બળાત્કારનો ગુનો નોંધાવશે?

રાજકોટ મહાનગરપાલિકા રાજકોટને સ્વચ્છ બનાવવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યું છે. સ્વચ્છતાને લઇને સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજા ક્રમાંક પર રાજકોટ આવ્યું છે. રાજકોટને વધારે સ્વચ્છ બનાવીને પહેલા ક્રમાંક પર લાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા શહેરમાં અલગ-અલગ જગ્યા પર ચેતવણી આપતા બોર્ડ લગાવવામાં આવ્યા છે પરંતુ RMCના અધિકારીઓએ આ બોર્ડમાં લખાણ લખવામાં ખૂબ મોટી ભૂલ કરી હોય તેવું લાગી રહ્યું છે.

RMCના અધિકારીઓ નોટીસ બોર્ડમાં સુચના લખીને જાહેરમાં કચરો નાંખનાર વ્યક્તિને સજા થશે તેવી માહિતી આપી રહ્યા છે, બોર્ડમાં એવું પણ લખ્યું છે કે, કચરો નાંખનાર પર IPCની કલમ 376 અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આ બોર્ડ રાજકોટની શાળા નંબર 66ની પાસે આવેલા શૌચાલયની બહાર લગાવવામાં આવ્યું હતું. જેમાં લખવામાં આવ્યું હતું કે,' ચેતવણી આથી જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે. આ જગ્યા પર કચરો ફેંકવો નહીં, અન્યથા કચરો ફેંકનાર પર IPCની એક્ટ 376 મુજબ તેની સામે કાનુની કાર્યવાહી કરવામાં આવશે. કમિશનર સાહેબના હુકમથી.'

આ બાબતે મીડિયામાં અહેવાલ પ્રકાશિત થતા તાત્કાલિક રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નોટીસમાંથી 376ના શબ્દને દૂર કરવામાં આવ્યો હતો. 

આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આમાં ભૂલ થઇ છે ખરેખર BPMC એક્ટની કલમ 376 છે. પેઈન્ટર તરફથી જે ભૂલ થઇ છે તે બાબતે ખુલાસો મેળવવામાં આવશે અને બોર્ડ હટાવી દેવામાં આવ્યું છે. જેમને ભૂલ કરી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે આ ખૂબ ગંભીર બાબત છે. આમાં ખરેખર કોની ભૂલ છે, તે બાબતે તપાસ કરવામાં આવશે.

About The Author

Top News

SBI ફંડના શેર માત્ર 7% પર લિસ્ટ થયા, પરંતુ બ્રોકરેજે આપ્યો મોટો ટારગેટ!

શેરબજારમાં અસ્થિરતા વચ્ચે, SBI ફંડ્સ મેનેજમેન્ટના શેરનું લિસ્ટિંગ સારું થયું નથી, જેટલી અપેક્ષાઓ રાખવામાં આવી રહી હતી. લિસ્ટિંગ પહેલાં...
Business 
SBI ફંડના શેર માત્ર 7% પર લિસ્ટ થયા, પરંતુ બ્રોકરેજે આપ્યો મોટો ટારગેટ!

આ IAS ઓફિસર એટલા ઈમાનદાર છે કે 20 વર્ષમાં 25 વાર ટ્રાન્સફર થઈ ગયું છે

મહારાષ્ટ્ર કેડરના IAS અધિકારી તુકારામ મુંઢે તેમની કડક કામ કરવાની પદ્ધતિ અને નિયમનું પાલન કરનારા ઓફિસર તરીકે જાણીતા છે. આના...
National 
આ IAS ઓફિસર એટલા ઈમાનદાર છે કે 20 વર્ષમાં 25 વાર ટ્રાન્સફર થઈ ગયું છે

દિલ્હીમાં CM ઓમર અબ્દુલ્લા પર ધરણા પર બેઠા, કહ્યું— ‘સરકારે પોતાનું વચન પૂરું ન કર્યું’

જમ્મુ-કાશ્મીરને તાત્કાલિક પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે અને મોદી સરકારને સંસદ તેમજ સુપ્રીમ કોર્ટ સમક્ષ આપેલું વચન પૂરું કરવાની...
Politics 
દિલ્હીમાં CM ઓમર અબ્દુલ્લા પર ધરણા પર બેઠા, કહ્યું— ‘સરકારે પોતાનું વચન પૂરું ન કર્યું’

સ્પેન ચેમ્પિયન; આર્જેન્ટિનાની હારના આ રહ્યા 5 મુખ્ય કારણો

સ્પેને બીજી વખત પુરુષોનો વર્લ્ડ કપ જીત્યો, તેણે કોઈ પણ જાતની ઉત્તેજના વગરનું અને કંઈક અંશે નિરાશાજનક વર્લ્ડ કપ...
Sports 
સ્પેન ચેમ્પિયન; આર્જેન્ટિનાની હારના આ રહ્યા 5 મુખ્ય કારણો
Copyright (c) Khabarchhe All Rights Reserved.