શું રાજકોટ મહાનગરપાલિકા જાહેરમાં કચરો ફેંકનાર સામે બળાત્કારનો ગુનો નોંધાવશે?

રાજકોટ મહાનગરપાલિકા રાજકોટને સ્વચ્છ બનાવવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યું છે. સ્વચ્છતાને લઇને સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજા ક્રમાંક પર રાજકોટ આવ્યું છે. રાજકોટને વધારે સ્વચ્છ બનાવીને પહેલા ક્રમાંક પર લાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા શહેરમાં અલગ-અલગ જગ્યા પર ચેતવણી આપતા બોર્ડ લગાવવામાં આવ્યા છે પરંતુ RMCના અધિકારીઓએ આ બોર્ડમાં લખાણ લખવામાં ખૂબ મોટી ભૂલ કરી હોય તેવું લાગી રહ્યું છે.

RMCના અધિકારીઓ નોટીસ બોર્ડમાં સુચના લખીને જાહેરમાં કચરો નાંખનાર વ્યક્તિને સજા થશે તેવી માહિતી આપી રહ્યા છે, બોર્ડમાં એવું પણ લખ્યું છે કે, કચરો નાંખનાર પર IPCની કલમ 376 અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આ બોર્ડ રાજકોટની શાળા નંબર 66ની પાસે આવેલા શૌચાલયની બહાર લગાવવામાં આવ્યું હતું. જેમાં લખવામાં આવ્યું હતું કે,' ચેતવણી આથી જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે. આ જગ્યા પર કચરો ફેંકવો નહીં, અન્યથા કચરો ફેંકનાર પર IPCની એક્ટ 376 મુજબ તેની સામે કાનુની કાર્યવાહી કરવામાં આવશે. કમિશનર સાહેબના હુકમથી.'

આ બાબતે મીડિયામાં અહેવાલ પ્રકાશિત થતા તાત્કાલિક રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નોટીસમાંથી 376ના શબ્દને દૂર કરવામાં આવ્યો હતો. 

આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આમાં ભૂલ થઇ છે ખરેખર BPMC એક્ટની કલમ 376 છે. પેઈન્ટર તરફથી જે ભૂલ થઇ છે તે બાબતે ખુલાસો મેળવવામાં આવશે અને બોર્ડ હટાવી દેવામાં આવ્યું છે. જેમને ભૂલ કરી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે આ ખૂબ ગંભીર બાબત છે. આમાં ખરેખર કોની ભૂલ છે, તે બાબતે તપાસ કરવામાં આવશે.

About The Author

Top News

સુરેન્દ્રનગર સસ્પેડેડ નાયબ મામલતદાર પાસે 1.22 કરોડથી વધુની અપ્રમાણસર સંપત્તિ મળી

સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન NA કૌભાંડમાં સંકળાયેલા અને વઢવાણમાં રહેતા અને નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરી ઉપર વધુ...
Gujarat 
સુરેન્દ્રનગર સસ્પેડેડ નાયબ મામલતદાર પાસે 1.22 કરોડથી વધુની અપ્રમાણસર સંપત્તિ મળી

દિલીપભાઈ દેશમુખ: યુવાઓ માટેનું પ્રેરણાનું ઝરણું

(ઉત્કર્ષ પટેલ) આજના યુવાનોના જીવનમાં પ્રેરણાની તરસ હોય છે. કોઈક એવી વ્યક્તિ જોઈએ જે કહે કે, “સેવા કરવાથી...
Opinion 
દિલીપભાઈ દેશમુખ: યુવાઓ માટેનું પ્રેરણાનું ઝરણું

IITian બાબાની પત્ની પ્રીતિકા સાથે પ્રેમકથા કેવી રીતે શરૂ થઈ? ભવિષ્યની યોજનાઓ વિશે પણ માહિતી આપી

પ્રયાગરાજમાં 'મહાકુંભ 2025'માં IITian બાબા તરીકે પ્રખ્યાત થયેલા અભય સિંહે ચુપચાપ લગ્ન કરી લીધા છે. હવે, તેઓ...
National 
IITian બાબાની પત્ની પ્રીતિકા સાથે પ્રેમકથા કેવી રીતે શરૂ થઈ? ભવિષ્યની યોજનાઓ વિશે પણ માહિતી આપી

એક મિનિટમાં 25 શબ્દો ટાઇપ ન કરી શક્યા... 3 સરકારી બાબુઓને ડિમોટ કરાયા; કારકુનોને પટાવાળા બનાવી દીધા

કાનપુર કલેક્ટર કચેરીથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સરકારી કચેરીઓમાં વર્ક કલ્ચરની વાસ્તવિકતાનો પર્દાફાશ કર્યો છે. અહીં, ...
National 
એક મિનિટમાં 25 શબ્દો ટાઇપ ન કરી શક્યા... 3 સરકારી બાબુઓને ડિમોટ કરાયા; કારકુનોને પટાવાળા બનાવી દીધા
Copyright (c) Khabarchhe All Rights Reserved.