શું રાજકોટ મહાનગરપાલિકા જાહેરમાં કચરો ફેંકનાર સામે બળાત્કારનો ગુનો નોંધાવશે?

રાજકોટ મહાનગરપાલિકા રાજકોટને સ્વચ્છ બનાવવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યું છે. સ્વચ્છતાને લઇને સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજા ક્રમાંક પર રાજકોટ આવ્યું છે. રાજકોટને વધારે સ્વચ્છ બનાવીને પહેલા ક્રમાંક પર લાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા શહેરમાં અલગ-અલગ જગ્યા પર ચેતવણી આપતા બોર્ડ લગાવવામાં આવ્યા છે પરંતુ RMCના અધિકારીઓએ આ બોર્ડમાં લખાણ લખવામાં ખૂબ મોટી ભૂલ કરી હોય તેવું લાગી રહ્યું છે.

RMCના અધિકારીઓ નોટીસ બોર્ડમાં સુચના લખીને જાહેરમાં કચરો નાંખનાર વ્યક્તિને સજા થશે તેવી માહિતી આપી રહ્યા છે, બોર્ડમાં એવું પણ લખ્યું છે કે, કચરો નાંખનાર પર IPCની કલમ 376 અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આ બોર્ડ રાજકોટની શાળા નંબર 66ની પાસે આવેલા શૌચાલયની બહાર લગાવવામાં આવ્યું હતું. જેમાં લખવામાં આવ્યું હતું કે,' ચેતવણી આથી જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે. આ જગ્યા પર કચરો ફેંકવો નહીં, અન્યથા કચરો ફેંકનાર પર IPCની એક્ટ 376 મુજબ તેની સામે કાનુની કાર્યવાહી કરવામાં આવશે. કમિશનર સાહેબના હુકમથી.'

આ બાબતે મીડિયામાં અહેવાલ પ્રકાશિત થતા તાત્કાલિક રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નોટીસમાંથી 376ના શબ્દને દૂર કરવામાં આવ્યો હતો. 

આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આમાં ભૂલ થઇ છે ખરેખર BPMC એક્ટની કલમ 376 છે. પેઈન્ટર તરફથી જે ભૂલ થઇ છે તે બાબતે ખુલાસો મેળવવામાં આવશે અને બોર્ડ હટાવી દેવામાં આવ્યું છે. જેમને ભૂલ કરી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે આ ખૂબ ગંભીર બાબત છે. આમાં ખરેખર કોની ભૂલ છે, તે બાબતે તપાસ કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.