CM બદલવાથી વધારે ગુજરાત સરકારની 'અક્ષમતાનો બીજો કોઈ પુરાવો નથીઃ કોંગ્રેસ નેતા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ બુધવારે અહીં દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી ના મુખ્યમંત્રીને બદલવાના પગલા કરતાં ગુજરાતમાં સરકારની "અક્ષમતા” નો બીજો કોઈ મોટો પુરાવો હોઈ શકે નહીં.

પત્રકારો સાથે વાત કરતા, તિવારીએ મોરબી બ્રિજ અકસ્માતનો ઉલ્લેખ કર્યો અને રાજ્ય સરકારના "અહંકાર" ની ટીકા કરી. તાજેતરમાં મોરબી અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા.

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી તિવારીએ પ્રશ્ન કર્યો હતો કે શા માટે આ ઘટના પર કોઈએ રાજીનામું આપ્યું નથી અને "સૌથી મોટા આરોપીઓ", શ્રીમંત વ્યક્તિઓ અને જેમણે પુલના નવીનીકરણનો કોન્ટ્રાક્ટ લીધો હતો, તેમની ધરપકડ કેમ કરવામાં આવી નથી.

2016 માં, ભાજપે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને બદલીને વિજય રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણી પછી પણ રૂપાણી મુખ્યમંત્રી તરીકે ચાલુ રહ્યા અને ગયા વર્ષે તેમને બદલીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવાયા.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, સરકારની બિનકાર્યક્ષમતાનો આનાથી મોટો પુરાવો હોઈ શકે નહીં કે તે મુખ્યમંત્રીઓને હટાવવા સુધી પહોંચી છે. વર્તમાન મુખ્યમંત્રીનું ભાવિ શું હશે, જનતા નક્કી કરશે.

તેમણે કહ્યું, "સરકારની નિષ્ફળતાનું આનાથી વધુ જીવતું જાગતું ઉદાહરણ હોઈ શકે નહીં કે તમારે તમારા મુખ્યમંત્રીઓને ત્રણ વખત બદલવા પડ્યા.

તિવારીએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં ભ્રષ્ટાચારને કાયદેસર કરવામાં આવ્યો છે અને તે જ 'મોડલ' દેશ પર લાદવામાં આવી રહ્યું છે.  તેમણે કહ્યુ કે,ભ્રષ્ટાચારને કાયદેસર બનાવવો એ દેશ માટે ખતરનાક છે.

તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતનું દેવું રૂ. 2.98 લાખ કરોડ છે અને 20-24 વર્ષની વય જૂથના યુવાનો માટે બેરોજગારીનો દર 12.5 ટકા છે, જે કદાચ દેશમાં સૌથી વધુ છે.

આમ આદમી પાર્ટી (AAP) વિશેના પ્રશ્નના જવાબમાં, તિવારીએ દાવો કર્યો હતો પાકિસ્તાનની સરહદે આવેલા પંજાબ રાજ્યને ચલાવવા માટે જે પ્રકારનો વહીવટી અનુભવ, સંવેદનશીલતા અને જવાબદારી જરૂરી છે નવી પાર્ટી AAP  પાસે છે તે દર્શાવવામાં આવ્યું નથી.તિવારીએ કહ્યુ કે, મારી ગુજરાતની જનતાને વિનંતી છે કે બીજી વખત ભુલ દોહરાવતા નહીં.

રાહલની ભારત જોડો યાત્રામાં નર્મદા બચાવોની કાર્યકર મેઘા પાટકર સામેલ થવાના સવાલ પર મનીષ તિવારીએ કહ્યું હતું કે, મોંઘવારી, બેરોજગારી, કોરોના મહામારીના મેનેજમેન્ટ, ભષ્ટાચાર જેવા મુદ્દાઓને ભટકાવવામાં ભાજપ સરકારે પીએચડી કરેલું છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.