રણુજા જતા 3 કૌટુંબિક ભાઇઓના રોડ અકસ્માતમાં મોત, એક ભાઈના ગયા મહિને જ લગ્ન થયેલા

રાજસ્થાનના બાડમેરમાં એક ગોઝારો અકસ્માત થયો છે. NH-68 પર સ્કોર્પિયો અને અર્ટિગા ગાડીઓ વચ્ચે ભાષણ અકસ્માત થઇ ગયો છે. જેથી ગાડીના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. આ અકસ્માતમાં અર્ટિગા ગાડીમાં સવાર 5માંથી ત્રણ લોકોના મોત થઇ ગયા છે. આ ત્રણેય મૃતકો મહેસાણાના ખેરાલુ તાલુકાના મલાલપુર ગામના રહેવાસી હોવાની જાણકારી મળી રહી છે. આ ત્રણેય કૌટુંબિક ભાઈઓ હતા. જેમાં એક યુવકના તો ગયા મહિને જ લગ્ન થયા હતા. તો 2 પરિવારોએ એકનો એક દીકરો ગુમાવ્યો છે. ત્રણ-ત્રણ યુવકોના મોત થતા ગામમાં શોકનો માહોલ છે.

મીડિયા રિપોર્ટ મુજબ, ખેરાલુ તાલુકાના મલાલપુર ગામના વતની સંદીપ બાબુભાઇ ચૌધરી, સૌરભ વિજય ચૌધરી, વિશ્વાસ વિરસંગભાઈ ચૌધરી, ઉદયભાઈ રમેશભાઈ ચૌધરી, હિમાંશુ દેવેન્દ્રભાઈ ચૌધરી અર્ટિગા ગાડીમાં બેસી રણુજા જઇ રહ્યા હતા. જ્યાં બાડમેર નેશનલ હાઇવે નંબર-68 પર ગાડી જતી હતી, એ દરમિયાન લવકુશ વિદ્યાલય પાસે નંબર પ્લેટ વિનાની સ્કોર્પિયો સાથે તેમની અર્ટિગા ગાડી ધડાકાભેર અથડાઈ ગઇ હતી. જેથી ભયંકર અકસ્માત થયો અને બંને ગાડીઓના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બે ગાડીઓમાં સવાર લોકોને ગંભીર ઈજા થઇ હતી. જેમાં અર્ટિગા ગાડીમાં સવાર સંદીપ ચૌધરી, સૌરભ ચૌધરી અને વિશ્વાસ ચૌધરીના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. તેમજ હિમાંશુ ચૌધરી અને ઉદય ચૌધરીને સારવાર માટે સચોર ખસેડવામાં આવ્યા હતા. એ સિવાય સ્કોર્પિયો ગાડીમાં સવાર 8 લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ રાજસ્થાનના બાડમેરના સ્થાનિક લોકો ત્યાં આવી જતા બંને ગાડીઓમાં રહેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં અર્ટિગા ગાડીના આગળના ભાગના કૂરચેફૂરચા ઊડી જતા ડ્રાઇવર ફસાઈ ગયો હતો. તેમજ ગાડીમાં સવાર અન્ય લોકોને સ્થાનિક લોકોએ લોખંડના કોસો અને અન્ય સાધનો વડે દરવાજા તોડી, કાચ ફોડી ભારે મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ પીકઅપ માર્ફતે તમામને નજીકની હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા.

ગામમાં રહેતા નાગજીભાઈએ જણાવ્યું હતું કે, ગઈકાલે સવારે 10:00 વાગ્યે યુવકો ગાડીમાં બેસી રણુજા જવા નીકળ્યા હતા અને ત્યાં સાંજે 04:00 વાગ્યે અકસ્માત થયો હતો. મૃતકો કૌટુંબિક ભાઈઓ થાય છે. તેમજ સૌરભ ચૌધરીના ગયા મહિને જ લગ્ન થયા હતા. જ્યારે બે પરિવારે એકના એક દીકરા ગુમાવ્યા છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.