રાહુલ બોલ્યા-મોદીને જ મારી વિરુદ્ધ કેસ દાખલ કરવાનો હક, જજે સજા આપવા પહેલા...

માનહાનિના કેસમાં 2 વર્ષની સજાના નિર્ણયને રાહુલ ગાંધીએ પડકાર આપતા પોતાની અરજીમાં 7 મહત્ત્વના બિંદુ કોર્ટ સામે રાખ્યા છે. તેમનું કહેવું છે કે, તેમની વિરુદ્ધ માનહાનિ કેસ દાખલ કરવાનો હક માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છે. કોઈ પણ કેસ નહીં કરી શકે. રાહુલ ગાંધીએ પોતાની અરજીમાં કહ્યું કે, નિર્ણય આપનારા જજે વિચારવું જોઈતું હતું કે, જે તેઓ કરવા જઈ રહ્યા છે તેનાથી મારી લોકસભા સભ્યતા જતી રહેશે. રાહુલ ગાંધીને સુરતની એક કોર્ટે બે વર્ષની સજા સંભળાવી હતી.

ત્યારબાદ તેમને લોકસભામાં અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા. આ કેસ વર્ષ 2019માં દાખલ કરવામાં આવ્યો હતો. તેમની વિરુદ્ધ ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ અરજી દાખલ કરી હતી. તેમનું કહેવું હતું કે, કોલારમાં એક જનસભા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નીરવ મોદી, લલીત મોદી, નરેન્દ્ર મોદી. બધા ચોરોના નામ સાથે મોદી કેમ લાગ્યું છે. પૂર્ણેશ મોદીનું કહેવું હતું કે, રાહુલ ગાંધીના નિવેદનથી આખા મોદી સમાજને ઠેસ પહોંચી છે. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને પોતાના નિર્ણયમાં દોષી માનીને સજા સંભળાવી દીધી.

રાહુલ ગાંધી તરફથી સીનિયર એડવોકેટ આર.એસ. ચીમા, કીર્તિ પનાવાલા અને તરન્નુમ ચીમાએ કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી હતી. તેમનું કહેવું હતું કે, રાહુલ ગાંધીના નિવેદન પર પૂર્ણેશ મોદીને કેસ દાખલ કરવાનો હક નથી. નરેન્દ્ર મોદી જ IPCના સેકશન 499 હેઠળ કેસ કરી શકે છે. સજાને પડકાર આપતી અરજીમાં કહેવામાં આવ્યું કે, હદિરેશ વર્માએ સજા સંભળાવવા પહેલા વિચારવું જોઈતું હતું કે, તેમનો નિર્ણય કયા પ્રકારની અસર નાખવા જઈ રહ્યો છે. તેમને સારી રીતે ખબર હતી કે માનહાનિ કેસમાં 2 વર્ષની સજા સંભળાવવાથી તેમની લોકસભા સભ્યતા જતી રહેશે.

જજે વિચાર કરવું જોઈતું હતું. તેમણે એ ન જોયું કે આ મારો પહેલો ગુનો હતો, પરંતુ તેમણે માનહાનિ કેસમાં મહત્તમ 2 વર્ષની સજા સંભળાવી દીધી. અરજીમાં કહેવામાં આવ્યું કે, વિપક્ષના નેતા હોવાના કારણે  તેમને સરકારની નિંદા કરવાનો પૂરો હક છે. વિપક્ષના નેતા સરકારની નિંદા દરમિયાન હંમેશાં સારા લગતા શબ્દોનો ઉપયોગ નહીં કરી શકે. સુરતની કોર્ટે સજા પહેલા શબ્દોનો સાચો અર્થ કાઢવો જોઈતો હતો. તેમણે 6 લોકોના નામ લીધા હતા. નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા, લલીત મોદી અને અનિલ અંબાણી પર તેમણે આરોપ લગાવ્યો હતો કે, સરકારે આ બધા લોકોને પરોક્ષ રીતે ફાયદો પહોંચાડ્યો. તેમાંથી ઘણાના નામ સાથે મોદી લાગ્યું નથી.

રાહુલ ગાંધીએ દલીલ કરી કે પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ માત્ર એ વાતને લઈને કેસ દાખલ કરી દીધો કે તેઓ મારા નિવેદનથી દુઃખી હતા. મારા નિવેદનને આખા મોદી સમાજ વિરુદ્ધ નહીં માની શકે. મોદી સરનેમ હિન્દુઓ સિવાય મુસ્લિમ અને પારસી લોકો પણ લગાવે છે. મોદી નામના લોકો લગભગ 13 કરોડ લોકો છે. બધાને હક નથી મળતો કે તેઓ મારી વિરુદ્ધ કેસ દાખલ કરી શકે. તેમનું કહેવું હતું કે તેમની વિરુદ્ધ દાખલ થયેલી અરજી માત્ર રાજનીતિથી પ્રેરિત હતી. ટ્રાયલ કોર્ટે જે અંદાજમાં તેમને દોષી માનીને નિર્ણય સંભળાવ્યો તે સ્તબ્ધ કરનારો છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.