આપણે બહોળા પણ અને ભોળા પણ, જરૂર પડે તો મુંછના આંકડાનો ઉપયોગ કરજો: નરેશ પટેલ

ગુજરાતમાં પટેલ સમાજની લગભગ સવા કરોડની વસ્તી છે,આપણે અને આપનો સમાજ બહોળો પણ છે અને ભોળો છે પણ ભોળાનો સમય નથી, અત્યારે મુંછના આંકડા રાખવાની ફેશન છે, રાખવાના અને જરૂર પડે ઉપયોગ પણ કરવાનો. આ વાત ખોડલધામના ટ્રસ્ટી અને અગ્રણી પાટીદાર નેતા નરેશ પટેલે રાજકોટમાં ખોડલધામ આયોજિત એક કાર્યક્રમમાં હુંકાર કરતા કહી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પોતે રાજકારણમાં આવશે કે નહીં આવશે તે વિશે નરેશ પટેલની ખુબ ચર્ચા ચાલી હતી. ગુજરાતની ચૂંટણીઓમાં પાટીદાર સમાજનું ખાસ્સું વર્ચસ્વ રહેતું હોય છે.

લેઉઆ પટેલ સમાજના આસ્થાના પ્રતિક ગણાતા અને રાજકોટમાં આવેલા ખોડલધામ મંદિરમાં ખોડલધામ વિદ્યાર્થી સમિતી (KDVS)2023ની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું અધ્યક્ષ સ્થાન નરેશ પટેલને સોંપવામાં આવ્યું હતું. આ બેઠકમાં KDVS દ્વારા એક એડવાન્સ લેવલ એપ્લીકેશન લોંચ કરવામાં આવી હતી. આ એપ્લીકેશનથી ગુજરાતના કોઇ પણ ખુણેથી KDVS સાથે જોડાયેલા દરેક સભ્યો ખોડલધામ ટ્રસ્ટ વિશેની તમામ માહિતી મેળવી શકશે અને મહત્ત્વના સંપર્કો સાધી શકશે.

ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્રારા ઘણા સમયથી શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સમાજના વિદ્યાર્થીઓને 3P થીયરી હેટળ પોલીસ અને સરકારી નોકરી, પ્રેસ અને પોલિટિક્સ અને લીડરશીપ ડેવલપમેન્ટ માટે માર્ગદર્શન અને સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. જાણવા મળેલી માહિતી મુજબ આ યોજના હેઠળ પાટીદાર સમાજના 475 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મેળવી છે.

રાજકોટ ખાતે આયોજિત ખોડલધામના કાર્યક્રમમાં નરેશ પટેલે કહ્યુ હતુ કે, ગુજરાતમાં પટેલ સમાજની સવા કરોડની વસ્તી છે, જ્યારે જરૂર પડે ત્યારે આપણે ભેગા થ જવાનું, પણ ખોટી રીતે નહીં. પટેલે કહ્યું કે આપણો સમાજ બહોળો પણ છે અને ભોળો પણ છે.પણ આજનો જમાનો ભોળા રહેવાનો નથી.તેમણે કહ્યુ કે આજકાલ એવું જોવા મળે છે કે કેટલાંક યુવાનો મુછો સાવ કાઢી નાંખે છે તો કેટલાંક યુવાનો મુછોને વળ આપે છે. પટેલે કહ્યું કે મુછોના વળ રાખવા જોઇએ અને જરૂર પડે તો તેનો ઉપયોગ પણ કરવો જોઇએ.

ખોડલધામ ટ્રસ્ટ આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના દરેક જિલ્લા,તાલુકા અને ગામે-ગામથી KDVSનાં કન્વીનરો, સહકન્વીનરો તથા સોશિયલ મીડિયા સહિતનાં 1200 જેટલા યુવાનોની ટીમે હાજરી આપી હતી

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.