CM અરવિંદ કેજરીવાલને હવે ગુજરાત યુનિવર્સિટીએ આપ્યો મોટો ઝટકો

અમદાવાદની એક કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સંજય સિંહને સમન્સ જાહેર કર્યા છે. આ સમન્સ માનહાનિના કેસમાં જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો કે, અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીના મુદ્દા પર યુનિવર્સિટી વિરુદ્ધ અપમાનજનક નિવેદન આપ્યું. ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલની ફરિયાદ પર પોલીસે IPCની કલમ 500 હેઠળ કેસ દાખલ કર્યો હતો.

ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, પ્રેસ કોન્ફરન્સ અને ટ્વીટર હેન્ડલ પર અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે યુનિવર્સિટી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી. તેનાથી પ્રતિષ્ઠિત સંસ્થાની છબીને નુકસાન પહોંચ્યું છે. જેના પર અમદાવાદ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેટ જયેશભાઈ ચોવાટિયાએ શનિવારે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને સમન્સ જાહેર કરીને 23 મેના રોજ ઉપસ્થિત થવા માટે કહ્યું છે. ફરિયાદકર્તાના વકીલે કહ્યું કે, ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના 70 વર્ષ અગાઉ કરવામાં આવી હતી અને લોકો વચ્ચે તેની પ્રતિષ્ઠા છે.

તેમણે આગળ કહ્યું કે, આરોપોથી લોકો વચ્ચે યુનિવર્સિટીની વિશ્વસનીયતાને નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ‘જો ડિગ્રી છે અને એ જ સત્ય છે તો એ કેમ આપવામાં આવી રહી નથી? અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે, તેઓ ડિગ્રી એટલે આપી રહ્યા નથી કેમ કે બની શકે કે તે નકલી હોય! જો વડાપ્રધાને દિલ્હી યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે તો ગુજરાત યુનિવર્સિટીએ એ વાતની ખુશી માનવી જોઈએ કે આપણો વિદ્યાર્થી દેશનો વડાપ્રધાન બની ગયો.

તો સંજય સિંહે કહ્યું કે, તેઓ પ્રયાસ કરી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નકલી ડિગ્રીને અસલી બનાવવામાં આવે. કોર્ટની તપાસ દરમિયાન 4 સાક્ષીઓને પણ રજૂ કરવામાં આવ્યા. ગુજરાત યુનિવર્સિટીના વકીલે કહ્યું કે, આ નિવેદનથી એવો સંદેશ ગયો છે કે યુનિવર્સિટી નકલી ડિગ્રી આપે છે. રિપોર્ટ્સ મુજબ, ગુજરાત હાઇ કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની MAની ડિગ્રીને લઈને 31 માર્ચના રોજ નિર્ણય સંભળાવ્યો હતો. તેમાં હાઇ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં કોર્ટના નિર્ણય પર પોતાની વાત રાખતા યુનિવર્સિટીને લઈને કેટલીક વાતો કહી અને સવાલ ઊભા કર્યા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.