હીરાબાનું 100 વર્ષની વયે નિધન, PM મોદીએ માતાને કાંધ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીનું શુક્રવારે નિધન થઈ ગયું. તેઓ 100 વર્ષના હતા. હીરાબાએ અમદાવાદના યુ.એન. મેહતા હૉસ્પિટલમાં સવારે 3:30 વાગ્યે છેલ્લા શ્વાસ લીધા. હીરાબાને મંગળવારે સાંજે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને માતા હીરાબાને શ્રદ્ધાંજલિ આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાને મંગળવારથી અચાનક શ્વાસ લેવામાં પરેશાની થવા લાગી હતી. એ સિવાય તેમને કફની ફરિયાદ પણ હતી.

ત્યારબાદ તેમને ઇમરજન્સીમાં અમદાવાદના યુ.એન. મેહતા હૉસ્પિટલમાં કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેમના માતા હીરાબાનું MRI અને સીટી સ્કેન કર્યું હતું. ગુરુવારે હૉસ્પિટલ તરફથી નિવેદન જાહેર કરીને બતાવવામાં આવ્યું હતું કે, તેમની તબિયતમાં સુધાર છે, પરંતુ શુક્રવારે તેમનું નિધન થઈ ગયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને માતા હીરાબાને શ્રદ્ધાંજલિ આપી છે.

તેમણે લખ્યું કે, હું જ્યારે 100માં જન્મદિવસ પર મળ્યો તો તેમણે એક વાત કહી હતી, જે હંમેશાં યાદ રહે છે કે ‘કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી. શાનદાર શતાબ્દીનો ઈશ્વરના ચરણોમાં વિરામ.. માતામાં મેં હંમેશાં એ ત્રિમૂર્તિનું અનુભૂતિ કરી છે, જેમાંથી એક તપસ્વિની યાત્રા, નિષ્કામ કર્મયોગીનું પ્રતિક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન સમાવેશ રહ્યો છે.' હીરાબાના પાર્થિવ શરીરને નાનાભાઈ પંકજ મોદીના ઘરે લઈ જવામાં આવ્યું હતું.

હીરાબા અહીં જ રહેતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ માતાના અંતિમ દર્શન માટે પહોંચી ચૂક્યા છે. હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગર સેક્ટર-30ના સ્મશાનમાં કરવામાં આવશે. અંતિમ યાત્રામાં માત્ર પરિવારના લોકો જ સામેલ થશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સાંજે 4 વાગ્યે હીરાબાને મળવા ગયા હતા. અહીં તેઓ લગભગ દોઢ કલાક તેમની સાથે રહ્યા હતા. ડૉક્ટરો પાસેથી તેમના સ્વાસ્થ્યની જાણકારી લીધી હતી. ત્યારબાદ તેઓ દિલ્હી જવા રવાના થયા હતા.

વડાપ્રધાન પહેલા તેમના મોટા ભાઈ સોમાભાઇ મોદી સિવાય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ હીરાબાનું સ્વાસ્થ્ય જાણવા માટે હૉસ્પિટલ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા જૂનમાં જ 100 વર્ષના થયા હતા. હીરાબાના 100માં જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં તેમને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા અને તેમની પૂજા પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માતાના પગ ધોયા અને ગિફ્ટમાં સાલ આપી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.