કંઈ અને કેવી દારૂબંધી? ગુજરાત પોલીસે 7 દિવસમાં 2723 દારૂ પીને ગાડી ચલાવતા પકડ્યા

ગુજરાતમાં દારૂબંધનો કાયદો છે, પરંતુ આ કાયદો માત્ર કાગળ પર જ હોય એવું લાગે છે. પોલીસે શરૂ કરેલા ડ્રિંક એન્ડ ડ્રાઇવ સામેના અભિયાનમાં જે આંકડા આવ્યા છે તેમાં દારૂબંધીની પોલ ખુલી ગઇ છે.

અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોના મોત પછી પોલીસ આખા રાજ્યમાં પેટ્રોલિંગ કરી રહી છે. પોલીસ ટ્રાફીકના નિયમો તોડનારા સામે કાર્યવાહી કરી રહી છે અને કેસ પણ નોંધી રહી છે, પરંતુ પોલીસના અભિયાનમાં દારૂબંધીના કડક અમલના દાવા સામે અનેક સવાલો ઉભા કરી દીધા છે. સવાલ એ થાય છે કે ગજરાતમાં આટલો બધો દારૂ આવે છે ક્યાંથી?

ગુજરાતમાં દેશની સૌથી જૂની દારૂબંધી છે, પરંતુ ગુજરાતમાં ગેરકાયદે દારૂના વેચાણ પર અનેક વખત સવાલો ઉભા થતા રહ્યા છે. પોલીસના ડ્રિંક એન્ડ ડ્રાઇવ અભિયાનમાં  જે આંકડા સામે આવ્યા છે તેને કારણે રાજ્યમાં લાગૂ દારૂબંધી સામે ફરી સવાલો ઉભા કર્યા છે.

અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર થયેલા અકસ્માત પછી પોલીસે રાજ્ય ભરમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવ સામે અભિયાન શરૂ કર્યું છે. છેલ્લાં 7 દિવસોમાં નશો કરીને વાહન ચલાવતા 2723 કેસો સામે આવ્યા છે. એવામાં સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે જો રાજ્યમાં દારૂબંધી અમલમાં છે તો આટલા બધા ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસો સામે કેવી રીતે આવ્યા?

ગુજરાત પોલીસે નશામાં ડ્રાઇવીંગ કરનારની ધરપકડ કરી છે. ઇસ્કોન બ્રીજના અકસ્માત પછી પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઇવના 1450 કેસો નોંધ્યા છે.તો બીજી તરફ ઓવરસ્પીડીંગના અત્યાર સુધીમાં 20,737 કેસો નોંધાયા છે. પોલીસના આંકડામાં ડ્રિંક એન્ડ ડ્રાઇવના 60 ટકાથી વધારે કેસ નોંધાયા.

ઓવર સ્પીડથી સ્ટંટ કરવાના કેસમાં ચેકિંગમાં વધારો થયો છે. પોલીસે આ સમયગાળા દરમિયાન 265 થી વધુ કેસ નોંધ્યા છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ 210 થી વધુ કેસ નોંધાયા છે. પોલીસ ડ્રાઇવમાં ખુલાસો થયો છે કે અમદાવાદ, રાજકોટ અને સુરત ટ્રાફિકના નિયમો તોડવામાં ટોચ પર છે.

અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર 20 જુલાઇએ ફુલ સ્પીડમાં જેગુઆર કાર ચલાવી રહેલા તથ્ય પટેલે 9 લોકોને કચડી માર્યા હતા. આ ઘટનાના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા અને પોલીસે રાજયભરમાં પોલીસે ઓવરસ્પીડિંગ અને ડ્રિંક એન્ડ ડ્રાઇવ સામે અભિયાન શરૂ કર્યું. ગુજરાત રાજ્યની સ્થાપનાના સમયથી જ રાજ્યમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.