વર્ષો પછી પોરબંદરમાં લોકમેળો ચકડોળ વગર જોવા મળશે, આ છે કારણ

આ વર્ષે જન્માષ્ટમીના અવસર પર પોરબંદરનો લોકમેળો ચકડોળ વગર જ જોવા મળે તો નવાઈ નહીં કારણ કે, અમદાવાદના કાંકરિયા તળાવ પર રાઈડ દુર્ઘટના પછી સરકાર દ્વારા રાઈડને લઇને અલગ અલગ 11 જેટલા નવા નિયમો બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે અલગ અલગ વિસ્તારોમાં યોજાતા લોકમેળાઓમાં આ નિયમોનું પાલન કરવાને લઇને રાઈડના સંચાલકો અને તંત્ર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

આ સમગ્ર મામલે પોરબંદરમાં રાઈડના સંચાલકોએ મેળાનો બહિષ્કાર કર્યો છે અને તેઓએ આપેલી ડીપોઝીટ પરત માંગી છે. સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે, તે નાની રાઈડ અને મોટી રાઈડ બંને માટે લાગુ પડે છે. ત્યારે નાની નાની રાઈડ ચલાવતા સંચાલકો પણ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. કારણ કે, હવે તેમની રોજી રોટી પર એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.

ચકડોળના સંચાલકોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, ગઈ કાલે જે બેઠક હતી તેમાં અમે કહ્યું હતું કે, અમને નિયમમાં કોઈ છૂટછાટ આપવામાં આવે. ત્યારે અધિકારીઓએ કિધુ કે, કોઈ છૂટછાટ આપવામાં આવી નથી, તમારે તમામ નિયમોનું ચુસ્ત પણે પાલન કરવું પડશે એટલે અમે કહ્યું કે, સમય ઓછો છે અને 11 નિયમોનું અમે પાલન કરી શકીએ તેમ નથી. તેથી અમે અધિકારીઓને લેખિતમાં અરજી આપીને લોકમેળાનો સંપૂર્ણપણે બહિષ્કાર કર્યો છે. જેના કારણે વર્ષો પછી પોરબંદરમાં પહેલી વાર ચકડોળ વગરનો લોકમેળો લોકોને જોવા મળશે.

આ બાબતે સરકારી અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ચકડોળ સંચાલકોનું કહેવું એવું છે કે, સરકારે જે નિયમો બનાવેલા છે, તે નિયમો તેઓ પરિપૂર્ણ કરી શકે તેમ નથી, એટલે નગરપાલિકા દ્વારા ચકડોળની હારાજીની મોકૂફ રાખવામાં આવેલી છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.