બાગેશ્વર બાબાનો દરબાર શરૂ થાય તે પહેલાં લિંબાયતમાં પોસ્ટરો ફાડી નંખાયા

બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાતાં પધરામણી થઇ ચૂકી છે અને અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા એમ 4 શહેરોમાં તેમના દિવ્ય દરબારનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. 10 દિવસના ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતના કાર્યક્રમની શરૂઆત સુરતથી થઇ છે અને શુક્રવાર અને શનિવારે લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી ગ્રાઉન્ડ પર દિવ્ય દરબાર થવાનો છે.

શુક્રવારે બાબાનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં કોઇ તોફાની તત્ત્વોએ લિંબાયત વિસ્તારમાં દિવ્ય કરબાર કાર્યકમને લગતા પોસ્ટરો ફાડી નાંખતા હોબાળો મચી ગયો હતો.આયોજકો દોડતા થઇ ગયા હતા અને પોસ્ટરો કોણે ફાડ્યા તૈની તપાસ હાથ ધરવામાં આવી છે.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત પહેલીવાર આવ્યા છે અને તેમના દિવ્ય દરબારના કાર્યક્રમના પોસ્ટરો શહેરમાં ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે. બાબા બાગેશ્વરના આગમનનો પહેલા વિરોધ શરૂ થયો હતો, પરંતુ ધીમે ધીમે વિવાદ શાંત પડી ગયો હતો. હવે લિંબાયત વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનથી માત્ર 700 મીટરના અંતરે લાગેલા બેનરો વિરોધીઓ દ્રારા ફાડી નાંખવામાં આવ્યા છે.

લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ પર બાબાનો બે દિવસનો કાર્યક્રમ થવાનો છે અને હજારોની સંખ્યામાં લોકો આવવાના છે એ ધ્યાનમાં રાખીને પુરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, છતા કોઇક બેનરો ફાડી ગયું હતું. આ અટકચળાને કારણે આયોજકોનું ટેન્શન વધી ગયું છે.

આયોજકોના કહેવા મુજબ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં લગભગ દોઢ લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે. ઉપરાંત પીવાનું પાણી, પાર્કિંગ, મોબાઇલ ટોઇલેટ, નીલગીરી ગ્રાઉન્ડમાં વિશાળ સ્ટેજ, 30થી વધારે LED સ્ક્રીન લગાવવામાં આવી છે.

ધીરેન્દ્ર શાસ્ત્રી 26 મે, 2023ના દિવસે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી મેદાનમાં તેમનો ‘દરબાર’ યોજશે. બાગેશ્વર સરકારનો ‘દરબાર’ સાંજે શરૂ થશે અને રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. આ દિવ્ય દરબારમાં પ્રવેશ માટે 22 જેટલા એન્ટ્રી ગેટ રાખવામાં આવ્યા છે.

સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષા માટે હજારથી વધારે પોલીસ તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત ખાનગી સિક્યોરિટી કંપનીના પણ સુરક્ષા કર્મીઓ સુરક્ષામાં હાજર રહશે.

ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત બાદ અમદાવાદમાં તેમનો ‘દિવ્ય દરબાર’ યોજશે. તેઓ 29 અને 30 મેના રોજ અમદાવાદમાં રોકાશે. જેમાં અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં શક્તિચોક ખાતે તેનો ‘દિવ્ય દરબાર’લાગશે. એ પછી રાજકોટ અને વડોદરામાં તેમનો કાર્યક્રમ છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.