હીરાબાની પ્રાર્થના સભામાં માનવ મહેરામણ, નીતિન પટેલે કહ્યું- બાને બધા પ્રેમ કરતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા 30 ડિસેમ્બરે પંચમહાભૂતમાં વિલિન થયા હતા તેમને શ્રધ્ધાંજલી આપવા માટે PM મોદીના જન્મ સ્થળ વડનગર ખાતે એક શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના નેતાઓ, મંત્રીઓ, કાર્યકરો, વડનગરની જનતા સહિત માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. પ્રધાનમંત્રીના પરિવારજનો પણ આ પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા.

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ હતું કે, હીરાબાના અવસાન પછી તેમના પરિવાર દ્રારા વડનગરના જવાહર નવોદય હોલ ખાતે એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે  કહ્યું  કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા તેમની સાદગી તેમની ધર્મ પ્રત્યેની નિષ્ઠા, સમાજ પ્રત્યે દેશ પ્રત્યે એમની જે ભાવના માટે જાણીતા હતા. આજે શ્રધ્ધાંજલી સભામાં હજારો લોકો તેમને વિનમ્ર શ્રધ્ધાંજલી આપવા આવી રહ્યા છે એ જ બતાવે છે કે હીરાબાને લોકો કેટલો પ્રેમ કરતા હતા.

રવિવારે સવારે શ્રધ્ધાંજલી સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી, સોમાભાઈ તેમજ નરેન્દ્ર મોદીનાબહેન વસંતીબેન સહિતનાઓ હીરાબાની પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા. વસંતીબેન પરિવારજનોને મળી ભાવુક બન્યાં હતા અને તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા.

નીતિન પટેલે કહ્યું કે આજુબાજુના ગામડાંઓમાંથી લોકો બાને શ્રધ્ધાંજલી આપવામાં આવી રહ્યા છે. રાજકારણ અને સમાજકારણ સાથે જોડાયેલા લોકો પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

હીરાબાને શ્રધ્ધાંજલી આપવા માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્ણેશ મોદી,  પરષોત્તમ રૂપાલા,કુબેર ડિંડોર, જેઠા ભરવાડ સહિત અનેક નેતાઓ પ્રાથર્ના સભામાં પહોંચ્યા છે.  હીરાબાના માનમાં વડનગરમાં વેપારીઓએ ત્રણ દિવસ બંધ પાળીને પ્રધાનમંત્રી મોદીના માતાને સન્માન આપીને શ્રધ્ધાંજલી આપી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા જૂન 2022ના દિવસે 100 વર્ષ પુરા કરીને 101 વર્ષના થયા હતા. તેમને શ્વાસની તકલીફ થવાને કારણે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 30 ડિસેમ્બરે તેમનું અવસાન થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માતાના  અવસાનના સમાચાર ટ્વીટ કરીને આપ્યા હતા. તેઓ માતાની અંતિમ વિધી માટે અમદાવાદ આવ્યા હતા અને માતાના શબને પોતે કાંધ આપી હતી.

હીરાબા દેશના પ્રધાનમંત્રીના માતા હોવા છતા તેમણે ક્યારેય રોફ ઝાડ્યો નથી, તેવો સાવ સાદાઇથી અને નાનકડાં ઘરમાં તેમનું જીવન વિતાવતા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.