હવે વીજળી માટે પણ કરવું પડશે રિચાર્જ, ગુજરાતમાં આ વિસ્તારથી થશે શરૂઆત

હાલમાં આપણે વીજળીના વપરાશ બાદ એક કે બે મહિને લાઇટ બિલ ભરતા હોઈએ છીએ, પરંતુ હવે આગામી સમયમાં એવી ઝંઝટ જ પતી જશે, બિલ ભરવાની સિસ્ટમ જ નીકળી જશે અને જેમ આપણે મોબાઇલમાં રિચાર્જ કરીએ છીએ એવી જ રીતે લાઇટ માટે પણ રિચાર્જ કરવું પડશે. તેમાં એડવાન્સમાં રિચાર્જ પણ કરી શકાશે અને જો મધરાતે તમારી લાઇટનું રિચાર્જ પૂરું થઇ ગયું તો પણ તમે તેને રિચાર્જ કરીને ફરીથી ચાલુ કરી શકશો. સ્માર્ટ મીટરનો વિચાર કેન્દ્ર સરકારનો છે.

ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છથી તેની શરૂઆત થશે. જ્યાં PGVCL વીજ બાબતોનો વહીવટ સંભાળે છે. એટલે રાજકોટ-કચ્છમાં 50 લાખ જૂના મીટર બદલીને સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. આ મીટરની કિંમત અંદાજે 8-10 હજાર રૂપિયા છે. તો હવે એવો સવાલ મનમાં ઉઠે કે શું આ રકમની ચૂકવણી ગ્રાહકે કરવી પડશે? તો એનો જવાબ છે ના. મે મહિનાથી સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. પહેલા ટ્રાન્સફોર્મરમાં લગાવવામાં આવશે ત્યારબાદ જૂન-જુલાઈથી ગ્રાહકોના મીટરમાં લાગશે.

સાથે જ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ગ્રાહકો એ જાણી શકશે કે તેમનું રિચાર્જ કેટલું રહ્યું છે. દર કલાકે, દર 5-6 કલાકે કેટલો વપરાશ થયો તેની જાણકારી મળતી રહેશે. PGVCLના MDનો દાવો છે કે, આ માહિતીના કારણે વીજ વપરાશ ઓછો થશે અને વીજ ચોરીની ઘટનાઓ પર પણ અંકુશ લાગશે. PGVCLના MD વરુણ બરંદવાલે જણાવ્યું કે, મોબાઈલ કે D2Hની જેમ જ ગમે ત્યારે રિચાર્જ કરી શકાશે. રિચાર્જ પૂરું થયા બાદ પણ થોડો સમય વીજળી વાપરવા મળશે.

વીજ બિલના રિચાર્જ માટે પણ મોબાઈલની જેમ અગાઉથી એલર્ટ મળતું રહેશે. કોઈ ગ્રાહક ઈચ્છે તો એક દિવસથી લઈને એક વર્ષ સુધીનું અંદાજિત રિચાર્જ કરી શકશે. બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા ઘણા રાજ્યોમાં સ્માર્ટ મીટર લગાવવમાં આવ્યા છે અને સંચાલન પણ સારી રીતે ચાલી રહ્યું છે. PGVCL અંતર્ગત આવતા તમામ વિસ્તારોમાં ડિસેમ્બર 2023 સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.