ગરબામાં મુસ્લિમ યુવાનોની જાહેરમાં મારપીટ કેમ? ગુજરાત પોલીસે કોર્ટને આપ્યો આ જવાબ

ગુજરાત પોલીસે મુસ્લિમોને જાહેરમાં માર મારવાની ઘટનાને યોગ્ય ઠેરવી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં, પાંચ મુસ્લિમ પુરુષોને પોલીસે રસ્તા પર બધાની સામે માર માર્યો હતો. ગુજરાત પોલીસે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું છે કે, આ વિસ્તારમાં શાંતિ અને સદભાવના જાળવવા માટે મુસ્લિમોને માર મારવામાં આવ્યો હતો.

ખેડા-નડિયાદના પોલીસ અધિક્ષક (SP) રાજેશ કુમાર ગઢિયાએ કોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે, મુસ્લિમ પુરુષોએ તેમના સમુદાયના 150થી વધુ લોકોના ટોળા સાથે મળીને ગરબા કાર્યક્રમમાં વિક્ષેપ પાડવા માટે પથ્થરમારો કર્યો હતો. આ મામલો ખેડા જિલ્લાના ઉંધેલા ગામનો છે.

એફિડેવિટમાં લખ્યું છે કે, 'આરોપી 3 ઓક્ટોબર, 2022ના રોજ થયેલા રમખાણોમાં સક્રિય હતો. તે એવા ટોળાનો ભાગ હતો, જેણે ગરબા રમી રહેલા હિન્દુ સમુદાયના સભ્યો પર પથ્થરમારો કર્યો હતો. આ બધું હિન્દુ સમુદાયમાં ભય પેદા કરવા અને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ખલેલ પહોંચાડવા માટે કરવામાં આવ્યું હતું. બધું પૂર્વ આયોજિત હતું.'

SPએ કહ્યું કે, આ ઘટનામાં ગામના આઠ હિન્દુ રહેવાસીઓ અને ત્રણ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે. પરિણામે, ત્યાં ભારે હંગામો અને બુમ-બરાડા પડી ગયા હતા, તેથી આ વિસ્તારમાં શાંતિ અને સંવાદિતા જાળવવા માટે શંકાસ્પદોને કોર્ડન કરવામાં આવ્યા હતા, જેથી વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

SPએ કહ્યું કે પથ્થરમારાની ઘટના પછી તરત જ ધરપકડ કરાયેલ આરોપી મુસ્લિમ પુરુષોએ પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું. એફિડેવિટમાં લખ્યું હતું કે, '4 ઓક્ટોબર, 2022ના રોજ બનેલી કથિત ઘટનાના સંબંધમાં, જ્યારે આરોપીઓને ઉંધેલા ગામમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યારે તેઓએ પોલીસ અધિકારીઓ સાથે દુર્વ્યવહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ સ્થળ પર એકઠા થયેલા ટોળાને પણ ઉશ્કેરતા હતા.'

પોલીસ અધિકારીએ એ પણ માહિતી આપી છે કે, વિભાગીય તપાસની શરૂઆત પછી, મુસ્લિમ પુરુષોને માર મારવામાં સામેલ છ દોષિત પોલીસકર્મીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

જાહેરમાં માર મારવામાં આવેલા મુસ્લિમ શખ્સોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મામલાની સુનાવણી જસ્ટિસ NV અંજારિયા અને જસ્ટિસ નિરલ R મહેતાની બેન્ચ કરી રહી છે.

અરજદારોની મારપીટ પોલીસકર્મીઓ દ્વારા રેકોર્ડ કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી હતી. વીડિયોમાં પોલીસ અરજીકર્તાઓને થાંભલા સાથે બાંધીને લાકડીઓ વડે મારતી જોઈ શકાય છે. બાર અને બેંચના અહેવાલ મુજબ, કેસની આગામી સુનાવણી 27 ફેબ્રુઆરીએ થવાની સંભાવના છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.