ગરબામાં મુસ્લિમ યુવાનોની જાહેરમાં મારપીટ કેમ? ગુજરાત પોલીસે કોર્ટને આપ્યો આ જવાબ

ગુજરાત પોલીસે મુસ્લિમોને જાહેરમાં માર મારવાની ઘટનાને યોગ્ય ઠેરવી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં, પાંચ મુસ્લિમ પુરુષોને પોલીસે રસ્તા પર બધાની સામે માર માર્યો હતો. ગુજરાત પોલીસે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું છે કે, આ વિસ્તારમાં શાંતિ અને સદભાવના જાળવવા માટે મુસ્લિમોને માર મારવામાં આવ્યો હતો.

ખેડા-નડિયાદના પોલીસ અધિક્ષક (SP) રાજેશ કુમાર ગઢિયાએ કોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે, મુસ્લિમ પુરુષોએ તેમના સમુદાયના 150થી વધુ લોકોના ટોળા સાથે મળીને ગરબા કાર્યક્રમમાં વિક્ષેપ પાડવા માટે પથ્થરમારો કર્યો હતો. આ મામલો ખેડા જિલ્લાના ઉંધેલા ગામનો છે.

એફિડેવિટમાં લખ્યું છે કે, 'આરોપી 3 ઓક્ટોબર, 2022ના રોજ થયેલા રમખાણોમાં સક્રિય હતો. તે એવા ટોળાનો ભાગ હતો, જેણે ગરબા રમી રહેલા હિન્દુ સમુદાયના સભ્યો પર પથ્થરમારો કર્યો હતો. આ બધું હિન્દુ સમુદાયમાં ભય પેદા કરવા અને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ખલેલ પહોંચાડવા માટે કરવામાં આવ્યું હતું. બધું પૂર્વ આયોજિત હતું.'

SPએ કહ્યું કે, આ ઘટનામાં ગામના આઠ હિન્દુ રહેવાસીઓ અને ત્રણ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે. પરિણામે, ત્યાં ભારે હંગામો અને બુમ-બરાડા પડી ગયા હતા, તેથી આ વિસ્તારમાં શાંતિ અને સંવાદિતા જાળવવા માટે શંકાસ્પદોને કોર્ડન કરવામાં આવ્યા હતા, જેથી વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

SPએ કહ્યું કે પથ્થરમારાની ઘટના પછી તરત જ ધરપકડ કરાયેલ આરોપી મુસ્લિમ પુરુષોએ પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું. એફિડેવિટમાં લખ્યું હતું કે, '4 ઓક્ટોબર, 2022ના રોજ બનેલી કથિત ઘટનાના સંબંધમાં, જ્યારે આરોપીઓને ઉંધેલા ગામમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યારે તેઓએ પોલીસ અધિકારીઓ સાથે દુર્વ્યવહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ સ્થળ પર એકઠા થયેલા ટોળાને પણ ઉશ્કેરતા હતા.'

પોલીસ અધિકારીએ એ પણ માહિતી આપી છે કે, વિભાગીય તપાસની શરૂઆત પછી, મુસ્લિમ પુરુષોને માર મારવામાં સામેલ છ દોષિત પોલીસકર્મીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

જાહેરમાં માર મારવામાં આવેલા મુસ્લિમ શખ્સોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મામલાની સુનાવણી જસ્ટિસ NV અંજારિયા અને જસ્ટિસ નિરલ R મહેતાની બેન્ચ કરી રહી છે.

અરજદારોની મારપીટ પોલીસકર્મીઓ દ્વારા રેકોર્ડ કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી હતી. વીડિયોમાં પોલીસ અરજીકર્તાઓને થાંભલા સાથે બાંધીને લાકડીઓ વડે મારતી જોઈ શકાય છે. બાર અને બેંચના અહેવાલ મુજબ, કેસની આગામી સુનાવણી 27 ફેબ્રુઆરીએ થવાની સંભાવના છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.