ગુજરાતમાં આસારામના સમર્થનમાં બેન્ડબાજા સાથે નીકળ્યું સરઘસ, કોણે આપી મંજૂરી?

મહિસાગર જિલ્લાના લૂણાવાડામાં, દુષ્કર્મના દોષિત આસારામના સમર્થનમાં રેલી નીકળી હતી. અહીં તેની તસવીર સાથે મોટી સંખ્યામાં તેના સમર્થકો રેલીમાં જોડાયા હતા. યોગ વેદાંત સમિતિના બેનર હેઠળ આ રેલી યોજવામાં આવી હતી. બેંડબાજા સાથે વાહનો પર આસારામની તસવીરો લગાવીને તેના સમર્થકો નાચતા-ગાતા રેલીમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. દુષ્કર્મના દોષી આસારામની આ રીતે રેલી યોજાતાના આ ઘટના પર અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે કે આખરે એક ગુનેગારની આ રીતે રેલી યોજવા માટે કોણે મંજૂરી આપી? આ રીતે રેલી યોજવા પાછળનું સમર્થકોનું શું ઉદેશ્ય છે.

આ ચોંકાવનારી ઘટનાને લઇને મામલતદારે કહ્યું હતું કે, માત્ર ભજન-કિર્તન માટે મંજૂરી આપવામાં આવી હતી. આસારામના પોસ્ટર ફોટો સાથેની રેલી યોજાઇ તો તે નિયમભંગ છે આ બાબતે પોલીસમાં પણ જાણ કરવામાં આવી છે. આ આખી ઘટના ખરેખર ચોંકાવનારી છે. મંજૂરી વિના આખરે આટલી મોટી રેલી કઇ રીતે યોજાઇ અને જો મંજૂર મળી હતી તો એક ગુનેગારના સમર્થનમાં પોસ્ટર સાથે જાહેરમાં સરઘસ કાઢવા પાછળનો સમર્થકોનો હેતુ શું છે. આ રીતે ગુનેગારને સમર્થન આપતી રેલી હાલમાં તો અનેક સવાલ ઉઠી રહ્યા છે. જો કે, અત્યાર સુધી આ ઘટના અંગે મામલતદાર કે પોલીસ તંત્ર કોઇ સચોટ અને સ્પષ્ટ જવાબ આપી શક્યા નથી.

ઉલ્લેખનીય છે કે, આસારામ અને તેનો પુત્ર નારાયણ સાંઈ લગભગ છેલ્લા 9 વર્ષથી જેલમાં છે. ગાંધીનગર કોર્ટે 2 બહેનો પર બળાત્કારના કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. તે પહેલાથી જ બળાત્કારના અન્ય એક કેસમાં જોધપુરમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. આસારામની ઑગસ્ટ 2013માં ઈન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી. આ કેસોમાં આસારામનો પુત્ર નારાયણ સાંઈ પણ જેલમાં બંધ છે.

70ના દાયકામાં આસારામે પોતાનું ધાર્મિક સામ્રાજ્ય બનાવ્યું હતું. આસારામની ભક્તિના આ ધંધાને આગળ વધારવા તેનો પુત્ર નારાયણ સાંઈ આવ્યો હતો. આસારામના દેશભરમાં 400 કરતા વધુ આશ્રમો છે. અહીં 1,500 કરતા વધુ સેવા સમિતિઓ અને 17 હજારથી વધુ બાળ સંસ્કાર કેન્દ્રો છે. તેની પાસે 40થી વધુ ગુરુકુળ પણ છે. એકંદરે આસારામની સંપત્તિ 10,000 કરોડ રૂપિયાથી વધુ છે. ટ્રસ્ટ આ બધાની દેખરેખ અને તેમની પ્રવૃત્તિઓ ચલાવવાનું કામ કરે છે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.