ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, ગુજરાતના આ જિલ્લામાં ગાબડું, 7ના રાજીનામા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભરૂચના 7 કોંગ્રેસી નેતાઓએ રાજીનામા ધરી દેતા ગુજરાત કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. 25  વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા નેતાઓના રાજીનામાથી રાજકારણમાં પણ ગરમાટો આવી ગયો છે. ગુજરાત કોંગ્રેસમાં જે રીતે કાર્યકરો અને નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે એ જોતા વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા જેવી સાબિત થશે.તેમાં પણ ભરૂચ જિલ્લો એ કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહમદ પટેલનો ગઢ માનવામાં આવે છે. જો કે કોંગ્રેસના જે નેતાઓએ રાજીનામા આપ્યા છે, તેમણે કઇ પાર્ટીમાં જશે તે બાબતે ફોડ પાડ્યો નથી.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ભરૂચમાં કોંગ્રેસના સાત નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ માટે તેણે જગદીશ ઠાકોરને જવાબદાર ઠેરવ્યા છે.

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ભરૂચમાં કોંગ્રેસના સાત નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. રાજીનામું આપનારાઓમાં ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ વિકી સોખી, પ્રદેશ યુવા મહામંત્રી નિકુલ મિસ્ત્રી, ભરૂચ શહેર ઉપપ્રમુખ કિરણ ચૌહાણ, ખજાનચી કિરણ પરમાર, જિલ્લા યુવા કોંગ્રેસના નેતા રાધે પટેલ અને પક્ષના કાર્યકરો કિશોર સિંહ અને રાકેશ ગોહિલનો સમાવેશ થાય છે. તેમણે આ પગલા માટે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરને જવાબદાર ઠેરવ્યા હતા.

વિકી સોખીએ કહ્યું કે, અમે છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ સાથે છીએ અને તમામ ગંભીર સંજોગોમાં પાર્ટી સાથે જોડાયેલા હતા. ગત વર્ષની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ કામ કરનારા ભરૂચના કોંગ્રેસના નેતાઓને અમે નામોની યાદી મોકલી છે. તેમ છતાં જગદીશ ઠાકોર અને આગેવાનોએ કોઈ પગલું ભર્યું ન હતું. જ્યારે અમે ફરીથી પૂછ્યું કે કેમ કોઈ પગલું ભર્યું નથી, તો અમને પ્રદેશ પ્રમુખનો જવાબ મળ્યો કે જેઓ પક્ષમાં રહેવા માંગતા હોય તેઓ રહી શકે અને જે છોડવા માંગતા હોય તેઓ જઈ શકે. અમને આ પ્રકારના જવાબની અપેક્ષા નહોતી તેથી અમે આજે રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે તે રાજકારણમાં ચાલુ રહેશે.

સોખીએ કહ્યું કે અમે કઈ પાર્ટીમાં જોડાશું તે અમે નક્કી નથી કર્યું પરંતુ અમે તેના પર ચર્ચા કરીને પછી નક્કી કરીશું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાએ જણાવ્યું હતું કે, અમે રાજીનામાથી પરેશાન છીએ. અમે તેમનો સંપર્ક કરીશું અને તેમની નારાજગીનું કારણ શોધીશું અને તેમને પાર્ટીમાં પાછા લાવવાનો પ્રયાસ કરીશું.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.