સલામ સુરતની આગના હીરોનેઃ કેતન જીવના જોખમે ઉપર ચઢી ગયોને બાળકોના જીવ બચાવ્યા

સુરતના એક બિલ્ડિંગમાં ચોથા માળે લાગેલી આગમાં એક યુવાને ખરેખર હીરો જેવું કામ કર્યું છે. કેતન જોરવાડિયા નામના યુવાને પોતાના જીવની પરવા કર્યા વગર સંખ્યાબંધ લોકોના જીવ બચાવ્યા હતા. 
 
તક્ષશિલા  આર્કેડમાં આગની ઘટનાને નજરે જોનાર કેતન જોરવાડીયા નામનો યુવાન બીજો લોકોની જેમ ભીડનો હિસ્સો બનીને રહી શક્યો ન હતો. તેને ઉપર ફંસાયેલા વિદ્યાર્થીઓની ચિંતા હતી. તે પળનો પણ વિલંબ કર્યા વગર પાળીના સહારે ચોથા માળે ચઢી ગયો હતો અને ગભરાયેલા બાળકોને પોતાના જીવના જોખમે નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. કેતને કરેલી કામગીરીની ચારેકોર પ્રશંસા થઇ રહી છે. બીજી તરફ ભાજપના માજી ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયા પણ ઘટના વખતે ત્યાંથી પસાર થતા હતા તેમણે લોકોને ભેગા કરીને ઉપરથી કુદી રહેલા બાળકોને કેચ કરવાનો પ્રયાસ કર્યો હતો. છતા કેટલાંક બાળકો ઇજા પામ્યા હતા.એક જ એમ્બ્યુલન્સ હોવાને કારણે પાનસેરિયાએ પોતાની ઇનોવાને એમ્બ્યુલન્સમાં ફેરવીને બાળકોને હોસ્પિટલ પહોંચાડયા હતા. 
 

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.